Headlines

ગઝલ- ગિરીશ રઢુકિયા

ભીતરેથી છે બળેલા માણસો.
ના જ પોતાને મળેલા માણસો.

ક્યાંક એ ભાગ્યે મળે છે આજ તો,
આપમેળે ઝળહળેલા માણસો.

રોજ બીજાનેય છળતા હોય છે,
કોઇ બીજાએ છળેલા માણસો.

ક્યાંક એ પથ્થર સરીખા, ક્યાંક છે,
મીણ માફક ઓગળેલા માણસો.

ક્યાંક ઉન્નત મસ્તકે છે તો વળી
ક્યાંક છે વાંકા વળેલા માણસો.

@ ગિરીશ રઢુકિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *