Headlines

દ્વારકામાં ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે દ્વારકા…

Read More

જામ દેવળીયા ગામનો બુટલેગર પાસા તળે જેલ હવાલે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.         જેમાં…

Read More

ખંભાળિયામાં ચોરીના ગુના પ્રકરણનો નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં રાજકોટના કુવાડવા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતો અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા નામના 28 વર્ષના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતું….

Read More

ખંભાળિયામાં રેડ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો

– મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો  – ગોંડલની શ્રી રામ હોસ્પિટલના તબીબોની સેવા – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ સોસાયટીના ઉપક્રમે ગોંડલની જાણીતી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે વિના મૂલ્યે સર્વરોગ નિદાન તેમજ દવા વિતરણ…

Read More

ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર બાઈક આડે ખૂંટિયો ઉતરતા અકસ્માત: આધેડનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬            ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાંચવાડી ખાતે રહેતા રવજીભાઈ વશરામભાઈ નકુમ નામના 52 વર્ષના આધેડ ગત તા. 5 મે ના રોજ પોતાના જી.જે. 10 એ.જી. 8420 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસે…

Read More

ખંભાળિયાના વોર્ડ નં. 1 માં ગટરનો સળગતો પ્રશ્ન હલ કરવા જાગૃત સદસ્યની જહેમત

– જે.સી.બી. જેવા સાધનોથી વોંકળાને ચોખ્ખો કરાવાયો – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં મિલન ચાર રસ્તા નજીકથી રેલવે ફાટક સુધીના માર્ગમાં આવેલી એક જૂની અને વિશાળ ગટર કે જે ચોમાસાના સમયમાં સ્થાનિકો માટે શિરદર્દ સમાન હતી, આ ગટરને ચોખ્ખી કરાવવા વોર્ડ નં 1 ના જાગૃત અપક્ષ સદસ્ય દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં…

Read More

ખંભાળિયામાં ટ્રેક્ટર ચાલકની પ્રમાણિકતા: રોકડ સહિતનું પર્સ ટ્રાફિક પોલીસને સોંપ્યું

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા સ્થાપના જવાનો ફરજ પર હતા. તે દરમિયાન ખંભાળિયાના રહીશ નજીરભાઈ આદમભાઈ ઘાવડા નામના એક ટ્રેક્ટર ચાલકને એક પાકીટ મળ્યું હોવાથી તેમણે ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પાકીટમાં રૂપિયા 7500 ની રોકડ રકમ…

Read More

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬        ખંભાળિયાના જાણીતા વેપારી વિજયભાઈ દાસાણી અને પૂજાબેન દાસાણીની સુપુત્રી કુ. બ્રિન્દા દાસાણીએ તાજેતરમાં લેવામાં આવેલી એમ.કોમ.ની સેમેસ્ટર 2 (ઇંગલિશ મિડીયમ)ની પરીક્ષામાં ખંભાળિયા સેન્ટરમાં નોંધપાત્ર ગુણ સાથે અગ્રક્રમ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિન્દા દાસાણીએ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ ઉપરાંત બિઝનેસ સાથે ટ્યુશન વગર…

Read More

ખંભાળિયામાં ગંદકી તથા કચરાના મુદ્દે પાલિકા પ્રમુખ આકરા પાણીએ

– કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શહેર ગંદુ ગોબરું..! – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬       ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને કચરાના મુદ્દે થઈ રહેલી વ્યાપક ફરિયાદોના અનુસંધાને આ મહત્વના પ્રશ્ને નગરપાલિકા પ્રમુખે સંબંધિતોની ખાસ બેઠક બોલાવીને જવાબદાર કોન્ટ્રાક્ટરોને ખખડાવી નાખ્યા હતા.         ખંભાળિયા શહેરમાં હાલ ડોર ટુ ડોર કચરા કનેક્શન…

Read More

એશિયાઈ સિંહોમાં સી.ડી.વી. અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)          અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સી.ડી.વી.) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને…

Read More