પોરબંદર: પાંચ વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતા આરોપીને કમલાબાગ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને રાજસ્થાનના અજમેર ખાતેથી દબોચી લીધો છે. શું હતો સમગ્ર…
ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા જીવનસાથી પરિચય મેળો યોજાશે
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૫ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો ભાવનગર ઘ્વારા ૧૬ મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરીચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શીવશકિત હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.આ યુવક યુવતિ અને તેના વાલીઓએ ફોર્મ તા. ૧૫/૩/૨૦૨૬ સુધીમાં મેળવી ભરી આપી જમા કરવાના રહશે. લીમીટેડ…
ભાવનગરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયા
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના…
જૂના રતનપરના સરપંચ ઘનશ્યામ વેગડ દ્વારા પશુઓ માટે આધુનિક અવેડાનું નિર્માણ
વિકાસના એક પછી એક કામ સુંદર રીતે કરી રહેલા સરપંચ ઘનશ્યામ વેગડની વધતી જતી લોકપ્રિયતા : દરેક કાર્ય કોઈ કૌભાંડ વગર સરસ રીતે થઈ રહ્યું છે ! ધ ગ્રેટ વર્લ્ડ, જુના રતનપર ભાવનગર તાલુકાના જૂના રતનપર ગામમાં લોકહિત અને વિકાસના કાર્યોને વેગ આપતા સરપંચ ઘનશ્યામ વેગડ દ્વારા પશુઓ માટે પીવાના પાણીની સુંદર સુવિધા ઊભી કરવામાં…
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં મીટ માર્કેટનો ઉગ્ર વિરોધ: એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ કમિશનરને લખ્યો પત્ર
અહિંસાની ભૂમિ પર કતલખાના જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યો વિરુદ્ધ હોવાની રજૂઆત; મીટ માર્કેટના બદલે પશુ સંભાળ કેન્દ્ર બનાવવાની માંગ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા મીટ માર્કેટ બનાવવાના લેવાયેલા નિર્ણય સામે હવે કાનૂની અને સામાજિક વિરોધ તેજ બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિરોધ બાદ હવે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ…
ભાવનગરના પાલિતાણામાં રૂ.૨૨.૮૮ લાખ ની ઘરફોડ ચોરી કરનાર વિપુલ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ મળી આવતા લોકઅપમાં “ભવ્ય સ્વાગત” કરતી પોલીસ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગરતા.૨૪ ભાવનગર જિલ્લામાં LCB પોલીસ અને પાલીતાણા રૂરલ પોલીસ બન્ને સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના પગલે રોડ ઉપર ઉભેલા જાળીયા ગામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર LCB…
ખંભાળિયા વિસ્તારમાં 1500 જેટલા વીજ જોડાણો રદ થશે
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૬ ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્ય સાથે જામનગર ડિવિઝન હેઠળના ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા આજે સવારથી મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા વિભાગીય કચેરી…
અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…
નર્મદાના આદિજાતિ વિસ્તારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: રૂ. ૩૦૨ કરોડના ખર્ચે બે નવા બ્રિજને મંજૂરી
રેંગણ અને શહેરાવ ઘાટ પર નિર્માણ પામનાર આ પૂલોથી ૧૧ ગામોની ૧૮ હજારથી વધુ વસ્તીને મળશે સીધી કનેક્ટિવિટી; નર્મદા પરિક્રમાવાસીઓને પણ ૧૭ કિમીનો ફેરાવો ઘટશે ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસની કટિબદ્ધતાને દોહરાવતા નર્મદા જિલ્લા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ પ્રભુત્વ ધરાવતા…
