ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે નૌકા વિહારનો મનોરથ
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટીમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 31 ના રોજ નૌકા વિહાર મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ અલૌકિક દર્શનનો લાભ લેવા હવેલીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવો…
ખંભાળિયા શહેર ભાજપ દ્વારા કાર્યશાળા અંગેનો કાર્યક્રમ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં આવેલા યોગ કેન્દ્ર ખાતે જિલ્લા ભાજપની સૂચના મુજબ ખંભાળિયા શહેર ભાજપ સંગઠન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષ “વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણ” ના સંકલ્પ સાકાર કરતા આ પ્રસંગે ખંભાળિયા શહેરની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તથા આ…
અવસાન નોંધ
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ રામજી બરછાના પુત્ર મનુભાઈ બરછા (ઘી વારા) ના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.વ. 68), તે સ્વ. કલ્પેન્દ્રભાઈ, હિમેશભાઈ, પિયુષભાઈ અને ચંદ્રિકાબેનના ભાભી તેમજ નમન, જગત, રોનક, દેવાંગીના ભાભુ તથા સંજયભાઈના કાકી તેમજ કમલ અને કૃપાલના માતુશ્રી તથા સ્વ. હીરાભાઈ જમનાદાસ ગોકાણી પરિવાર (મીઠાપુર)ની પુત્રી તા. 28 ના રોજ અવસાન…
અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા નંદાણાના મહિલાનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૨૯: કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રાધાબેન કરસનભાઈ ચાવડા નામના 40 વર્ષના આહિર મહિલાએ ગુરુવાર તા. 28 ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં દોરડા વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ કરસનભાઈ સામતભાઈ ચાવડા (ઉ.વ. 42) એ કલ્યાણપુર પોલીસને કરી છે. _____________________________________________________________________________…
ખંભાળિયામાં સફાઈ અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી હવે નગરપાલિકા સ્ટાફ દ્વારા કરવાનો નિર્ણય
– ખર્ચ બચાવવા અને કોન્ટ્રાક્ટરની કહેવાતી નિષ્ક્રિયતા અંગે પાલિકા દ્વારા નિર્ણય – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં કચરા અને ગંદકી અંગે નગરજનોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદો તેમજ કોન્ટ્રાક્ટર સહિતના કહેવાતા ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાને લઈ અને નગરપાલિકા તંત્ર દ્વારા હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પોતાના સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે તેવું…
અધિક માસ નિમિત્તે ખંભાળિયાની મહાપ્રભુજી બેઠકમાં અનેકવિધ ઉત્સવોના આયોજનો
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં આવેલી પૂજ્ય શ્રી મહાપ્રભુજીની 57 ની બેઠક ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી રવિવાર તા. 31 મી ના રોજ નિકી લાગત શરદ ઉજિયારી (રસોત્સવ), સોમવાર તા. 1 ના રોજ આમ્ર કુંજ, મંગળવાર તા. 2 ના રોજ કુંજ મે મચક…
ખંભાળિયાની ગૌરવવંતી જી.વી.જે. હાઈસ્કૂલમાં રવિવારે પુસ્તક વીમોચનનો ભવ્ય કાર્યક્રમ
– અનેક મહાનુભાવોની રહેશે ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં આવેલી શહેરની પુરાતન અને ઐતિહાસિક એવી સુપ્રસિદ્ધ શ્રી ગોપાલજી વાલજી જેરાજાણી (જી.વી.જે. હાઈસ્કૂલ) માં આગામી રવિવાર તારીખ 31 મી ના રોજ બે અલગ અલગ પુસ્તકોનું વિમોચન કરવાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વયોવૃદ્ધ અને દીર્ઘદ્રષ્ટા…
દ્વારકામાં ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે દ્વારકા…
જામ દેવળીયા ગામનો બુટલેગર પાસા તળે જેલ હવાલે
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં…
ખંભાળિયામાં ચોરીના ગુના પ્રકરણનો નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં રાજકોટના કુવાડવા પોલીસ ચોકી વિસ્તારમાં રહેતો અરવિંદ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા નામના 28 વર્ષના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતું….
