Headlines

શબ્દોને સથવારે: નારન બારૈયા :ગુજરાતી સાહિત્યમાં રહસ્યવાદ: પરમ તત્વ સાથે આત્મખોજની અનંત યાત્રા

રહસ્યવાદ (Mysticism) એ માનવ ચેતનાની એક એવી દિવ્ય અને ગૂઢ સ્થિતિ છે જ્યાં લૌકિક જગતની સીમાઓ ઓગળી જાય છે અને સાધક કે કવિ પરમ તત્વ સાથે સીધો, પ્રત્યક્ષ અને આંતરિક સંબંધ અનુભવે છે. તે કોઈ બૌદ્ધિક ચર્ચા, તાર્કિક સિદ્ધાંત કે શાસ્ત્રીય જ્ઞાન નથી, પરંતુ હૃદયની શુદ્ધ અનુભૂતિ છે. જ્યારે કોઈ આત્મા પોતાના અસ્તિત્વના મૂળને શોધવા…

Read More

શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬         દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે અનુસાર શિવરાજપુર બિચ (લાઈટ હાઉસ સર્વે નં. 58 થી શિવરાજપુર ખાડી-2 ના છેડા સુધી) પર પ્રવાસી અને સ્થાનિકો માટે નહાવા કે સ્વિમિંગ કરવા પર…

Read More

ઓખા મંડળ તાલુકામાં કાર્યરત મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલકની કરાશે ભરતી

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ (દ્વારકા) તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં અમલીકરણ માટે કેટલાંક કેન્દ્રો ઉપર મધ્યાહન ભોજન સંચાલકની ભરતી કરવાની છે.        ઓખા મંડળ (દ્વારકા) તાલુકાની ગોરીંજા પ્રાથમિક શાળા, ગોરીંજા વાડી પ્રા. શાળા, ધ્રાસણવેલ પ્રા. શાળા, બાટીસા પ્રા. શાળા, ભીમપરા પ્રા. શાળા, મેરીપુર પ્રા….

Read More

ભગવાન દ્વારકાધીશજીના બાલગોપાલ સ્વરૂપે ભવ્ય પુષ્પ શૃંગાર અને નૌકાવિહાર દર્શનથી ભક્તો થયા ભાવવિભોર

– પુરુષોત્તમ માસ નિમિત્તે સંસ્કૃત વર્ગના ભૂલકાઓએ સર્જ્યો ભક્તિભાવનો અનોખો માહોલ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬     યાત્રાધામ દ્વારકામાં આજે પવિત્ર પુરુષોત્તમ (અધિક) માસના પાવન અવસરે શ્રી દ્વારકા ગુગુલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા સંચાલિત સંસ્કૃત વર્ગના વિદ્યાર્થીઓએ ભક્તિ, સંસ્કાર અને ધાર્મિક પરંપરાનો સુંદર સમન્વય કરતો અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો.       …

Read More

કલ્યાણપુર નજીક બોલેરોની ઠોકરે બાઈક ચાલક પ્રૌઢનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા ભીખાભાઈ લગારીયા નામના આહીર પ્રૌઢ શનિવારે બપોરના સમયે કલ્યાણપુરથી ટંકારીયા ગામે તેમના જી.જે. 37 સી. 8096 નંબરના મોટરસાયકલ પર બેસીને રાણાભાઈ જાદવની સાથે આવી રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 7 કિલોમીટર દૂર રાવલ – ભાટીયા રોડ પર આવેલી સર્વોદય સ્કૂલની વાડીની બાજુમાંથી પસાર થઈ…

Read More

ભાણવડમાં કૂવામાં ખાબકેલા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ

– લાંબી જહેમત બાદ મગરને સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૫-૨૦૨૬       ભાણવડના નવાગામ નદી કાંઠે આવેલા વાડી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં નદીનું પાણી સુકાઈ જતાં એક મહાકાય મગર આશ્રયની શોધમાં નજીકના એક ખેડૂતના કૂવામાં ખાબક્યો હતો. આ કૂવામાં વિશાળકાય મગર હોવાની જાણ વાડી માલિકને થતાં…

Read More

અબોલ જીવોની સેવા કાજે સમર્પિત ભાણવડના જીવદયા પ્રેમી અશોક ભટ્ટનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની અને અનન્ય જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો આજે તા. 1 ના રોજ જન્મદિવસ છે. વ્યવસાયે શિક્ષક હોવા છતાં તેમણે પોતાનું જીવન અબોલ જીવોની રક્ષા અને પરોપકારના કાર્યોમાં સમર્પિત કરી દીધું છે. તેઓ ભાણવડ તથા સમગ્ર પંથકમાં ગૌવંશ સહિતના તમામ અબોલ પશુ-પક્ષીઓની સારસંભાળ…

Read More

હંજડાપરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

જામ ખંભાળિયા, તા. ૦૧: ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામે રહેતા ગોવિંદ ગગુભાઈ વરવારીયા નામના 25 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 31,200 ની કિંમતની વિદેશી દારૂની 24 બોટલ તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 36,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે ભાણવડ તાલુકાના સણખલા ગામના રાહુલ કરમુરનું નામ જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા…

Read More

વાડીનારના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ દત્તાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬ જન્મદિન શુભેચ્છા     ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના પીઢ પત્રકાર જગદીશભાઈ દત્તાણીનો આજે જન્મદિવસ છે. તા. 01-06-1956 ના દિને જન્મેલા જગદીશભાઈ આજે 70 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. હાલ તેઓ વાડીનાર પંથકના વરિષ્ઠ પત્રકાર સાથે વડીનાર- સિંગચ લોહાણા સમાજના ઉપપ્રમુખ અને વાડીનાર ગૌસેવા સમિતિના પ્રમુખ પણ છે. સામાજિક તેમજ ધાર્મિક કાર્યોમાં…

Read More

દ્વારકા શારદાપીઠમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું આગમન

– ભક્તોને દર્શન માટે નિર્ધારિત સમય જાહેર – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬       પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભૂષિત સ્વામી સદાનંદ સરસ્વતી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનું આજે સોમવારના રોજ સાંજે 5 વાગ્યે દ્વારકામાં શ્રી શારદાપીઠ, શ્રી શંકરાચાર્ય મઠ ખાતે શુભ આગમન થનાર છે.    શારદાપીઠ પરિવાર દ્વારા પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીના આગમનને…

Read More