રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરાયો: ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ન ભરવાના કિસ્સામાં વાહન સેવાઓ સ્થગિત કરવા સહિતના કડક પગલાં લેવાશે
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 20 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા જી.એસ.આર. 48(ઇ) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં કરવામાં આવેલા સુધારા અનુસાર 12 ઓગસ્ટ, 2026થી નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલા નિયમ 167 મુજબ ઇલેક્ટ્રોનિક ઈ-ચલણ અધિકૃત ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ઈ-પોસ્ટ દ્વારા 3 દિવસની…
કુતિયાણા-રાણાવાવમાં રસ્તા પહોળા કરવા મુખ્યમંત્રી પટેલને ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત
નવીબંદર અને પસવારી-ચીખલોદ્રા માર્ગોના પહોળીકરણથી વાહનચાલકોની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરકુતિયાણા અને રાણાવાવ વિસ્તારના સર્વાંગી વિકાસ અને લોકસુવિધા માટે સ્થાનિક ધારાસભ્ય કાંધલ સરમણ જાડેજા દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં વિસ્તારના બે મુખ્ય માર્ગોને પહોળા કરીને વાહનવ્યવહાર વધુ સરળ…
ઉમરાળાના ધોળાવીશી ગામે આધુનિક એસી રીડિંગ લાઈબ્રેરીનું લોકાર્પણ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ગ્રામ પંચાયતની અનોખી અને પ્રેરણાદાયી પહેલ ધ ગ્રેટ વર્લ્ડ, ઉમરાળાઉમરાળા તાલુકાના ધોળાવીશી ગામમાં શિક્ષણના ઉત્તમ વાતાવરણનું નિર્માણ કરવાના ઉમદા હેતુ સાથે ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગામના યુવાનો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસી રીડિંગ લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું…
ભાવનગરમાં સંત રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે સામાજિક સમરસતા કળશયાત્રાનું ભવ્ય સ્વાગત
શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સામાજિક એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવશે કળશયાત્રા હરેશ પરમાર, ભાવનગર દેશ હાલમાં અમૃત કાળના ઉત્સવમય વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સંત શિરોમણી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતીનું વર્ષ અત્યંત ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. આ પ્રસંગે સામાજિક સમરસતાના પ્રણેતા એવા સંત રોહિદાસજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન ૨૦૨૬નું…
પોરબંદરના કાટેલા ગામમાંથી મળેલા પાંચ કિલોથી વધુ ગાંજાના ગુનાનો ભેદ ઉકેલાયો મુખ્ય આરોપી ઝડપાયો
મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે યુવકને દબોચી લીધો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા કાટેલા ગામમાંથી અગાઉ પાંચ કિલો અને ચારસો દસ ગ્રામ ગાંજાનો અન્ડિટેક્ટ જથ્થો મળી આવ્યો હતો. આ ચકચારી ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક ઉકેલી…
ખેડાના રઢુ ગામની ચકચારી ‘લુટેરી દુલ્હન’ ગેંગનો માસ્ટરમાઇન્ડ વિજય નિમાવત ઝડપાયો: પોલીસ રિમાન્ડની તૈયારી
લગ્નના સપના બતાવી દીપકને ૨ લાખથી વધુના આર્થિક ખાડામાં ઉતારનાર આખી ટોળકીના મૂળ સુધી પહોંચવા ખેડા પોલીસની કવાયત તેજ ધ ગ્રેટ વર્લ્ડ, ખેડાગુજરાતમાં વધતા જતા સાયબર અને લગ્નના નામે ઠગાઈના કિસ્સાઓ વચ્ચે ખેડા જિલ્લાના રઢુ ગામની એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. એક નિર્દોષ યુવકને લગ્નનું સુવર્ણ સપનું બતાવી, તેને આર્થિક રીતે પાયમાલ કરીને રફુચક્કર…
ભાવનગર રેલવે હોસ્પિટલમાં હાડકાંના રોગો માટે આરોગ્ય કેમ્પ યોજાયો
કર્મચારીઓ અને પરિવારજનો માટે નિષ્ણાત તબીબી પરામર્શ અને આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું શંભુ સિંહ ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ રેલવે હોસ્પિટલ ખાતે દિનેશ વર્માની પ્રેરણાથી 13 ઓગસ્ટ 2026ના રોજ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે હાડકાંના રોગો અંગેના આરોગ્ય કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને હાડકાં…
ગુજરાતના માછીમારોને ડીઝલ વેટ રિફંડ ચૂકવાયું: બાકી રકમ ચૂકવાતા માછીમાર સમાજમાં રાહત
ગુજરાતના માછીમારોને ડીઝલ પર મળવાપાત્ર વેટ રિફંડની ચૂકવણી છેલ્લા ચાર મહિનાથી વિલંબિત થઈ રહી હતી. ખાસ કરીને માર્ચ, એપ્રિલ અને મે ૨૦૨૬ એમ ત્રણ મહિનાની રકમ બાકી રહેતા માછીમાર સમાજમાં ચિંતા અને મુશ્કેલી ઊભી થઈ હતી. આ અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને…
માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાના પાટોત્સવની વરલ ખાતે ભવ્ય ઉજવણી થશે : નારણદાસ બાપુના સાનિધ્યમાં બે દિવસીય ધાર્મિક મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના વરલ ખાતે સ્થિત કાળભૈરવ આશ્રમમાં માતુશ્રી લીલાબાની નિર્વાણ તિથિ અને કાળભૈરવ દાદાનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. નારણદાસ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે નારણદાસ બાપુ અને કાળભૈરવ આશ્રમ ટ્રસ્ટ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી રહી છે….
ગુજરાતમાં મેઘરાજાની મહેર: આગામી 6 દિવસ વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં છે એલર્ટ
અમદાવાદગુજરાત રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દેશભરમાં હાલ 6 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે. આગામી 6 દિવસ એટલે કે 21 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી…
