ભાવનગરની સિટી ડેન્ટલ એન્ડ મેક્સિલોફેશિયલ હોસ્પિટલના સેવાના આઠ વર્ષ પૂર્ણ: ડો. હરેશ્વરી હરિયાણી અને પરિવારના માર્ગદર્શન હેઠળ દંતચિકિત્સા ક્ષેત્રે વિશ્વાસ, કાળજી અને સુંદર સ્મિતની સફર આગળ ધપાવી
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરની દંતચિકિત્સા અને મેક્સિલોફેશિયલ સારવાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સિટી ડેન્ટલ એન્ડ મેક્સિલોફેશિયલ હોસ્પિટલના આઠ વર્ષ પૂર્ણ થયા છે. 19 ઓગસ્ટ 2018થી દર્દીઓની સેવા સાથે શરૂ થયેલી આ હોસ્પિટલની આઠ વર્ષની સફર દરમિયાન વિશ્વાસ, કાળજી અને ગુણવત્તાયુક્ત સારવારને કેન્દ્રમાં રાખીને અસંખ્ય દર્દીઓના સ્મિતને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો…
પોરબંદરના કાંટેલા ગામે બંધ મકાનમાંથી ઝડપાયેલા રૂ. 4 લાખના બિનવારસુ ગાંજા કેસમાં 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર, કોર્ટનો પોલીસ કસ્ટડી સામે મહત્વનો હુકમ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર તાલુકાના કાંટેલા મુકામે બંધ મકાનમાંથી આશરે રૂ. 4 લાખની કિંમતનો બિનવારસુ ગાંજો મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી તરીકે ઝડપાયેલા 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી પોરબંદરની કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આરોપી તરફથી કરવામાં આવેલી દલીલો તથા પોલીસ દ્વારા રજૂ કરાયેલી વિગતોને ધ્યાનમાં લીધા બાદ…
ચેક બાઉન્સ કેસમાં પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો: વેપારીને ચૂકવવાની રૂ. 8.29 લાખની રકમ સાથે ચેક આપનારને એક વર્ષની સાદી કેદની સજા, 30 દિવસમાં વળતર ચૂકવવાનો હુકમ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં ચેક પરત ફરવાના કેસમાં કોર્ટ દ્વારા ચેક આપનાર આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને ચેકની સંપૂર્ણ રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી કાયદેસરના વેપારી વ્યવહારમાં લેણી રકમની ચુકવણી માટે આપવામાં આવેલા ચેકની જવાબદારી અંગે મહત્વનો સંદેશો ગયો છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં વેપાર કરતા માધવજી…
પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે અવસાન
મહુવાના રાણાબાગથી શરૂ થયેલી જીવનયાત્રાએ પત્રકારત્વ, સાહિત્ય અને સામાજિક ચિંતનમાં ઊંડી છાપ છોડી; ૨૦ ઓગસ્ટે અમદાવાદના પાલડી ખાતે અંતિમ વિધિ ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. સંવેદનશીલ લેખન, સમાજવાદી…
અહિંસક જીવો પર અત્યાચાર બંધ કરો: ગુજરાતના જાણીતા પશુ પ્રેમી ડો. નેહલ કારાવદરાનો માનવજાત માટે લાલબત્તી સમાન સંદેશ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં માનવતાને શર્મસાર કરતી અને મૂગા જીવો પ્રત્યેની અસંવેદનશીલતા ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. પોરબંદર શહેરમાં એક નિર્દોષ શ્વાનને ‘આક્રમક’ અથવા ‘હિંસક’ ગણાવીને કેટલાક લોકો દ્વારા તેને લાકડીઓ અને ધોકાથી બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો. આ મૂગા પ્રાણી પર થઈ રહેલા અત્યાચારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. શહેરમાં લોકોની ફરિયાદોને…
અમેરિકામાં ભાવનગરના યુવાન સિદ્ધાર્થ શેઠનું સુનિલ ગાવસ્કરના હસ્તે સન્માન
સીએટલ ખાતે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ક્વિઝમાં મેળવી ભવ્ય સિદ્ધિ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર અમેરિકાના સીએટલ શહેરમાં ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સીએટલ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,…
રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરાયો: ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ન ભરવાના કિસ્સામાં વાહન સેવાઓ સ્થગિત કરવા સહિતના કડક પગલાં લેવાશે
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 20 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા જી.એસ.આર. 48(ઇ) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં કરવામાં આવેલા સુધારા અનુસાર 12 ઓગસ્ટ, 2026થી નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલા નિયમ 167 મુજબ ઇલેક્ટ્રોનિક ઈ-ચલણ અધિકૃત ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ઈ-પોસ્ટ દ્વારા 3 દિવસની…
કુતિયાણા-રાણાવાવમાં રસ્તા પહોળા કરવા મુખ્યમંત્રી પટેલને ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત
નવીબંદર અને પસવારી-ચીખલોદ્રા માર્ગોના પહોળીકરણથી વાહનચાલકોની સુવિધા અને સુરક્ષામાં વધારો થશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરકુતિયાણા અને રાણાવાવ વિસ્તારના સર્વાંગી વિકાસ અને લોકસુવિધા માટે સ્થાનિક ધારાસભ્ય કાંધલ સરમણ જાડેજા દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં વિસ્તારના બે મુખ્ય માર્ગોને પહોળા કરીને વાહનવ્યવહાર વધુ સરળ…
ઉમરાળાના ધોળાવીશી ગામે આધુનિક એસી રીડિંગ લાઈબ્રેરીનું લોકાર્પણ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ગ્રામ પંચાયતની અનોખી અને પ્રેરણાદાયી પહેલ ધ ગ્રેટ વર્લ્ડ, ઉમરાળાઉમરાળા તાલુકાના ધોળાવીશી ગામમાં શિક્ષણના ઉત્તમ વાતાવરણનું નિર્માણ કરવાના ઉમદા હેતુ સાથે ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગામના યુવાનો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસી રીડિંગ લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું…
ભાવનગરમાં સંત રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે સામાજિક સમરસતા કળશયાત્રાનું ભવ્ય સ્વાગત
શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સામાજિક એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવશે કળશયાત્રા હરેશ પરમાર, ભાવનગર દેશ હાલમાં અમૃત કાળના ઉત્સવમય વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સંત શિરોમણી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતીનું વર્ષ અત્યંત ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. આ પ્રસંગે સામાજિક સમરસતાના પ્રણેતા એવા સંત રોહિદાસજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન ૨૦૨૬નું…
