ભોજાવાડી ગામે કોળી સમાજની દીકરીની હત્યાના કેસમાં ન્યાય મેળવવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની કટીબદ્ધતા
નિધિબેનની હત્યા મામલે ન્યાય અપાવવા માટે માંડવી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વડીલો અને સમાજના આગેવાનોની બેઠકનું આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, સુરત માંડવી તાલુકા અંતર્ગત આવતા ભોજાવાડી ગામે બનેલી એક અત્યંત દુઃખદ, સંવેદનશીલ અને હૃદયદ્રાવક ઘટનામાં કોળી સમાજની દીકરી નિધિબેનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગંભીર અને સનસનાટીભર્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે…
પોરબંદરના કેદારશ્વર મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે અન્નકોટના અનોખા દર્શન: બીલનાથ મહાદેવના ભાતીગળ દર્શન અને અન્નકોટના લાભાર્થે શિવભક્તોને પાઠવવામાં આવ્યું અંતરથી આમંત્રણ
શ્રાવણ માસ એટલે શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર મહિનો છે, અને તેમાં પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારનું શિવભક્તો માટે અનેરું તથા વિશેષ મહત્વ રહેલું હોય છે. પોરબંદરના અલગ-અલગ શિવાલયોમાં શિવભક્તો માટે અવનવા અને આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે જ પરંપરા મુજબ પોરબંદરના સૌથી જૂના અને પૌરાણિક કેદારશ્વર મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે…
નવીબંદર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા યુવકને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન
સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના…
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય અને હેમુ ગઢવી એવોર્ડની જાહેરાત: રાજુલ દવે અને બિહારીદાન ગઢવીનું થશે સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ૯ સપ્ટેમ્બરે એવોર્ડ સમારોહ યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદગી જાહેર કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના બુધવારે યોજાનારા એવોર્ડ સમારોહમાં…
પોરબંદર હત્યા કેસમાં હાઈકોર્ટે મુખ્ય આરોપીઓની સજા સ્થગિત કરી, ચાર આરોપીઓને જામીન મુક્ત કર્યા
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ સાસુ અને ફરિયાદીની જુબાનીમાં વિસંગતતાના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો વર્ષ ૨૦૧૯માં પોરબંદરના છાયા વિસ્તારમાં મિલકત પચાવી પાડવાના ઇરાદે એક વ્યક્તિની હત્યા થયાનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં નામદાર પોરબંદર સેશન્સ કોર્ટે એક જ પરિવારના ચાર સભ્યો તથા એક અન્ય આરોપી મળી કુલ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા…
ભાવનગર ખાતે ભાજપના ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન: મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવા પર ભાર
પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી અને અગ્રણી અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં યોજાયેલા મહાઅભિયાનમાં રાજનીતિ, સમાજ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવામાં આવ્યા ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સોમવારથી બુધવાર દરમિયાન અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના સક્ષમ નેતૃત્વ અને પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા મુજબ ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
પોરબંદરના વનાણા ગામની સીમમાં એલસીબી દ્વારા દરોડો, જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી, એકતાળીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથસિંહ જાડેજા દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે પોરબંદર એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન…
પોરબંદરમાં 1.90 લાખનો કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિત 2 આરોપી ઝડપાયા
પોરબંદરમાં કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિતના આરોપીઓ ઝડપાયા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે આરએમસી પ્લાન્ટમાંથી 1.90 લાખથી વધુ કિંમતના તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના કોલીખડા વિસ્તારમાં આવેલ વિકાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના આરએમસી પ્લાન્ટના બેચિંગ મશીનનો કોપર વાયર ચોરી કરનાર આરોપીઓને શોધી કાઢવામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી…
ખાંડ કાંડ: ખાંડના ભાવમાં ભડકો, તહેવારો પહેલાં જ મીઠાશ મોંઘી: એક મહિનામાં ભાવમાં નોંધપાત્ર ઉછાળો, ગૃહિણીઓના બજેટ પર વધ્યો બોજ; સંગ્રહખોરી રોકવા સરકારની કવાયત છતાં ભાવવધારો યથાવત
ખબર જગત પોરબંદરતહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ખોરવાવા લાગ્યું છે. ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જે ખાંડ આશરે 30થી 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હોવાનો સ્થાનિક બજારનો અનુભવ હતો, તેના ભાવ કેટલાક સ્થળોએ વધીને 60થી 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યાની…
શ્રાવણ નિમિત્તે રાણાવાવના બિલેશ્વર મહાદેવ પેટ્રોલિયમ દ્વારા બિલીના રોપનું વિનામૂલ્યે વિતરણ
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદરપવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે ભગવાન શિવની આરાધના અને ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. આ માસના મહત્વને ધ્યાનમાં રાખીને, રાણાવાવ સ્થિત ‘બિલેશ્વર મહાદેવ પેટ્રોલિયમ’ દ્વારા પર્યાવરણ અને ધાર્મિક આસ્થાના સંગમ સમાન એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથને અતિપ્રિય…
