– મોન્ટુ દેસાણી
હાલના સમયમાં મનુષ્યજાતિ એવી બની ગઈ છે કે સતત દોડ્યા કરે છે કોઇ પદ માટે, ધન માટે કે પોતાના યશ માટે માણસ ગમે તેટલા પ્રયત્નો કરે છતા તેના જીવનમાં કઇકને કઇક ખુટે છે આજે માનવે વિકાસ તો કર્યો છે પણ પોતાની માનસિક શાંતિની આહૃતિ પણ આપી છે. રાત્રે અનિદ્રાનો શિકાર, પેનીક અટેક, ડિપ્રેશન તથા અનેક પ્રકારના માનસિક રોગોથી માનવ પિડાઇ રહ્યા છે. આના માટે જરૂર છે માણસે પોતાનો સ્વભાવ બદલવાની ભૌતિકતાની દોડમાંથી બહારઆવી જીવનના અમુક પળો માણવાની જેમ કે પકૃતિના સાનિધ્યમાં કુદરતની રચનાનો સાક્ષાતકાર કરવાનો પરંતુ મનુષ્ય પોતાનું મન હળવું કરવા માટે પાર્ટી ફિલ્મ જોવા જવું આ બધુ કરે છે પરંતુ તે એક પ્રકારની ભૌતિકતા જ છે. પહેલાના સમયની જેમ ગામડે સાંજ વેળાએ વડીલો પાસે બેસવું તેમની વાતુ સાંભળવી અને પરિવાર સાથે સમુહ ભોજન લેવાની જરૂર છે. જે સમય હોય છે તે માણી લેવાનો હોય છે. જેમ કે આજથી થોડાક વર્ષ પહેલા એક જોડી કપડા લેવા જતા અને દુકાનદાર તે જોડીના સો રૂપિયા ઓછા ન કરે તો એ કપડા લઈ શકતા ન હતા હાલ એવા પાંચ જોડી કપડા લઈ શકીયે છીએ પણ પેલાની જેવો આનંદ મળતો નથી અને વાત બનતી નથી એના માટે એક શેર છે કે
કભિ કિસિકો મુક્કમલ જહા નહી મિલતા,
કહી જમી તો કહી આસમા નહી મિલતા
સરેરાશ એક વ્યક્તિનું જીવન 60 થી 70 વર્ષનુ હોય છે. તેમા પણ એ કેટલી ભાગદોડ કરે છે મારા સંતાનો મારી મિલકત એની પાછળ કેટલું દોડશે એક સમય આવશે જયારે તે બધુ એક ઝટકામાં નકામું થઈ જશે મરેલા વ્યક્તિને તમે લાખો રૂપિયા આપો તો એ કઇ જીવિત થશે નહી એટલે જ મારી લખેલી પંક્તી છે કે
ટૂકી હોય છે સફર છતા અધૂરી રહી જાય છે.
દરેક ઇચ્છા અહી ક્યા કોઈની પૂરી થાય છે.
એટલે જ હિન્દી ફિલ્મ મુવીનો એક ડાયલોગ છે કે હસો ગાઓ મુશ્કુરાઓ કિસે પતા કલ હો ના હો……
