આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ […]
Tag: #grammer
