Headlines

બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર: ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે ઘોઘા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની IMDની આગાહી, ‘યલો એલર્ટ’ જાહેર

ભાવનગર:ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા વરતારા અનુસાર, આગામી ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ ભાવનગર જિલ્લા અને ખાસ કરીને ઐતિહાસિક દરિયાકાંઠાના વિસ્તાર એવા ઘોઘા તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સ્થિતિની…

Read More

ભાવનગરમાં આનંદનગર જલારામ મંદિર ખાતે મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

આનંદનગર જલારામ મંદિર ખાતે નિષ્ણાત તબીબોની સેવાઓ, વિનામૂલ્યે ચશ્મા વિતરણ અને રક્તદાન કેમ્પ યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેરના નાગરિકો માટે સ્વાસ્થ્ય અને આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. આગામી રવિવારના રોજ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પરિસરમાં એક વિશાળ મેગા મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ તેમજ આંખોની…

Read More

મહુવા તાલુકાના બોરડી ગામે સિંહણના મૃત્યુ પર થતી વિચિત્ર ધાર્મિક વિધિઓ સામે ઉગ્ર વિરોધ: ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનું સનસનીખેજ નિવેદન

જંગલી પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી હટાવવાની માંગ સાથે વન વિભાગ સામે ગંભીર સવાલો ઉઠાવતા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે વન વિભાગ અને વહીવટી તંત્રની કામગીરી સામે સ્થાનિક સ્તરે ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બોરડી ગામની સીમમાં ત્રણ બદામની એક સિંહણનું શંકાસ્પદ કે સ્વાભાવિક સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું….

Read More

ભાવનગર જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે શૈત્રુજી ડેમનું પાણી ૮/૯/૨૦૨૬ સુધીમાં છોડવા ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાની ઉગ્ર ચીમકી

તળાજા અને મહુવા સહિતના પંથકમાં ઉભા પાક સુકાઈ રહ્યા હોવાથી ૮/૯/૨૦૨૬ પહેલા તાત્કાલિક સિંચાઈનું પાણી આપવા અથવા સંપાદિત જમીન પરત કરવા પ્રમુખની માંગ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર જિલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૧ મહિનાથી વરસાદ ન થવાના કારણે ખેડૂતોના કપાસ અને સિંગ સહિતના ઉભા પાક સુકાઈ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય…

Read More

ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રક્ષાબંધનપર્વે કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી

– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૮-૨૦૨૬        ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના સમયે બાઇક પર નીકળ્યા હતા, ત્યારે તેમના સ્કૂટર આડે એકાએક પશુ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ભાઈઓની નજર સામે જ 19 વર્ષીય બહેનનું ગંભીર…

Read More

ભાવનગર ખાતે ભાજપના ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન: મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવા પર ભાર

પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી અને અગ્રણી અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં યોજાયેલા મહાઅભિયાનમાં રાજનીતિ, સમાજ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવામાં આવ્યા ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સોમવારથી બુધવાર દરમિયાન અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના સક્ષમ નેતૃત્વ અને પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા મુજબ ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Read More

ભાવનગર શહેરની સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સૂર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના જન્મદિન નિમિત્તે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી સુપ્રસિદ્ધ સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી ખાતે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક પ્રેરણાદાયી અને ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ યુકે નિવાસી સૂર્યરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલના જન્મદિન નિમિત્તે યોજવામાં આવ્યો હતો,…

Read More

ઘોઘા પોલીસ ક્વાર્ટરના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવી વૃદ્ધની બિનવારસી લાશ: ​સુરેન્દ્રનગર જિલ્લાના ચાચકા ગામના હોવાનું પ્રાથમિક તારણ: હત્યા આત્મહત્યા કે અકસ્માત?

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને રહસ્યમય બનાવ સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ અને સોમવારના રોજ સવારના અરસામાં આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘા પોલીસ ક્વાર્ટરના મુખ્ય ગેટ પાસેથી એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં વૃદ્ધની લાશ મળી આવી છે. સવાર-સવારમાં આ પ્રકારે બિનવારસી…

Read More

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સુમિત્રાબેન અને નવજાત શિશુના મોત મામલે ડૉ. જલ્પા ભટ્ટ સામે કોળી સમાજનો ન્યાય માટે ઉગ્ર વિરોધ: જલ્પા કો કાનૂની જલ પાઓ: અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની પણ ડો જલ્પા સામે કાર્યવાહીની માંગ

રાધે કૃષ્ણા હોસ્પિટલના ડૉ. જલ્પાબેન ભટ્ટની બેદરકારીના આક્ષેપ સાથે જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરાઈ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર શહેર અને જિલ્લામાંથી એક અત્યંત સંવેદનશીલ અને દુખદ ઘટના સામે આવી છે, જેમાં તબીબી બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલા અને તેના નવજાત શિશુનું અકાળે અવસાન થયું છે. આ ગંભીર બાબતને લઈને ભાવનગરના કાળીયાબીડ…

Read More

ભાવનગરમાં લઠ્ઠાકાંડ વિરુદ્ધ કોંગ્રેસના પ્રચંડ ધરણાં​: પીડિતોને ન્યાય અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડા પણ આંદોલનમાં જોડાયા

​ભાવનગર શહેર અને જિલ્લામાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની દુ:ખદ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં અને મૃત્યુ પામેલા નિર્દોષ લોકોના પરિવારોને ન્યાય અપાવવાની માંગ સાથે, ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે એક પ્રચંડ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધરણાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓ અને…

Read More