જે વ્યક્તિની જન્મકુંડળીમાં સપ્તમ ભાવ, સપ્તમ ભાવનો કારક ગ્રહ અને સપ્તમેશ બળવાન છે એવા વ્યક્તિનો ભાગ્યોદય વિવાહ પછી થાય છે.
જે વ્યક્તિની કુંડળીમાં સપ્તમેશ ઉચ્ચ રાશિમાં હોય અથવા સપ્તમેશની દ્રષ્ટિ વિવાહ સ્થાન એટલે કે સાતમા સ્થાન પર હોય તો વિવાહ બાદ વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જતાં હોય છે.
વ્યક્તિની કુંડળીમાં સપ્તમેશ અને ભાગ્યેશનું પરિવર્તન એટલે કે સાતમાં સ્થાનના માલિકનું ભાગ્ય સ્થાનમાં હોવુ અને ભાગ્ય સ્થાનના માલિકનું સાતમાં સ્થાનમાં હોવુ આ પરિવર્તન પણ શુભ યોગ બનાવે છે અને લગ્ન પછી ભાગ્યોદયનો કારક આ યોગ બને છે.
શુક્રનું દશમેશ અથવા ભાગ્યેશનું સાથે હોવુ પણ જીવનસાથીના ભાગ્યથી ભાગ્યોદય કરાવનાર બને છે.
સપ્તમેશનું નવમાં ભાવમાં કે દશમાં ભાવમાં હોવુ અથવા નવમા કે દશમા ભાવ પર સપ્તમેશની દ્રષ્ટિનું હોવુ લગ્ન પછી ભાગ્યોન્નતિ કરે છે.
સપ્તમ સ્થાનનો કારક ગુરુ અને શુક્ર બળવાન અવસ્થામાં હોય સાથોસાથ સપ્તમેશને પ્રભાવિત કરતા હોય તો વ્યક્તિનો વિવાહ પછી ભાગ્યોદય થાય છે.
સપ્તમેશ ધન સ્થાન અથવા લાભ સ્થાન પર સ્થિત થઈને શુભ ગ્રહોથી પ્રભાવિત હોય તો વિવાહ ઉપરાંત ભાગ્યોદય કરાવે છે.આવી વ્યક્તિના જીવનસાથી ધનવાન ઘરથી સંબંધ રાખે છે અથવા ખૂબ ભાગ્યવાન હોય છે.