ધીસ ઇઝ ધેટ
– નારન બારૈયા
લોકો તેને ડાયોજીનસ ધ ડોગ કહીને બોલાવતા હતા. કારણકે તે કૂતરાની માફક જીવતો હતો. માણસ કરતા તે કૂતરાને બહુ જ ઊંચા ગણતો હતો કારણ કે કૂતરાઓ તમારું ખાઈ જાય પછી માણસની માફક વધુ પડાવવાની પેંતરાબાજી નથી કરતા. ધરાઈ ગયા, વાત ખતમ. કૂતરો તમારી સાથે કોઈ રાજકારણ ખેલતો નથી. તમારું ખાઈ ગયા પછી તમને બુદ્ધિપૂર્વક લૂંટી લેવાનો પ્રયાસ કૂતરો કરતો નથી. એટલે કુતરાઓની સોબતમાં રહેવું એને ગમતું અને કુતરાઓની માફક જ તે શેરીઓ ગલીઓમાં ભટકતું જીવન જીવતો હતો અને અનાજ ભરવાની કોઈએ ફેંકી દીધેલી કોઠીમાં ભરાઈને તે સૂઈ જતો હતો. અને એટલે જ લોકો તેને ડોગ કહીને બોલાવતા હતા અને એનો ડાયલોજીને કોઈ વાંધો ન હતો. પણ તેણે વિશ્વવિજેતા સિકંદરને પણ હરાવ્યો હતો.
સિકંદર એકવાર તેને મળવા ગયો. સિકંદર એ કહ્યું, “આઈ એમ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ.”
ડાયોજીનેસે કહ્યું, “આઈ એમ ડાયોજીનેસ ધ ડોગ.”
સિકંદરે કહ્યું, “આપના વિશે ખૂબ સારું સારું સાંભળ્યું છે આપ એક સારા માણસ છો. બોલો હું આપની શી સેવા કરી શકું?
જમીન પર આડા પડીને તડકો ખાઈ રહેલા ડાયોજીનસે સિકંદરને કહ્યું, ” એટલું જ કે તમે જ્યાં ઉભા છો ત્યાંથી થોડા આઘા ખસી જાઓ કારણ કે તમે ત્યાં ઉભા છો એના કારણે મારા ઉપર તડકો વ્યવસ્થિત આવતો નથી.”
સિકંદરને હટવું પડ્યું આ તેની ફિલોસોફીક હાર ગણી શકાય. સિકંદર ને જો આપણે વિશ્વવિજેતા કહેતા હોઈએ તો ડાયોજીનસને બ્રહ્માંડ વિજેતા ગણવો પડે કારણ કે એ તો ઈશ્વરને પણ આવી જ રીતે ખખડાવી તતડાવી નાખે.
( કેટલાક દોઢ સંસ્કૃતિ પ્રેમીઓ આ પ્રસંગને ભારતીય ભૂમિ પર બનેલો પ્રસંગ ગણાવે છે અને તેમાં સિકંદરને તેની જગ્યાએ યથાવત રાખવામાં આવે છે પરંતુ ડાયોજીનસની જગ્યાએકોઈ ભારતીય ઋષિને મૂકવામાં આવે છે પરંતુ હકીકતમાં આ ડાયોજીનેસનો જીવન પ્રસંગ છે.)
સિનોપના ડાયોજીનસ એ ગ્રીક ફિલસૂફ હતા જેઓ 4થી સદી બીસીઇમાં થઈ ગયા. તેમને ઘણીવાર ફિલસૂફીના ઇતિહાસમાં સૌથી વધુ તરંગી અને વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે. જ્યારે તેમની ઘણી વખત તેમના સમકાલીન સાથે સરખામણી કરવામાં આવે છે, ત્યારે સોક્રેટીસ, ડાયોજીનીસની ફિલસૂફી અને જીવનશૈલી પ્રખ્યાત એથેનિયન વિચારક કરતા નોંધપાત્ર રીતે અલગ હતી.
ડાયોજીનેસે સામાન્ય રીતે જીવન પ્રત્યે વધુ આમૂલ અભિગમ અપનાવ્યો. તેમણે તેમના સમયના ભૌતિકવાદ અને સુપરફિસિયાલીટીને અવગણીને સાદી અને તપસ્વી જીવનશૈલી જીવવાનું પસંદ કરીને સામાજિક ધોરણોને નકારી કાઢ્યા. ડાયોજીન્સ પ્રખ્યાત રીતે એથેન્સના બજારમાં મોટા સિરામિક બરણીમાં અથવા “ડાયોજેન્સ”માં રહેતો હતો, કાચા ડુંગળીના આહાર પર નિર્વાહ કરતો હતો અને જાહેર જગ્યાઓ પર સૂતો હતો. તેનું માનવું હતું કે સાચુ સુખ અને સ્વતંત્રતા કુદરત અનુસાર જીવવાથી અને સંપત્તિ અને સત્તાની જાળને નકારીને જ મળી શકે છે.
જ્યારે સોક્રેટીસ સંવાદ અને વાદ-વિવાદ દ્વારા અન્ય લોકો સાથે જોડાવા માંગતો હતો, ત્યારે ડાયોજેનિસે તેના સમકાલીન લોકોની માન્યતાઓ અને મૂલ્યોને પડકારવા માટે ઘણીવાર આઘાતજનક યુક્તિઓ અને ઉશ્કેરણીજનક વર્તનનો ઉપયોગ કર્યો હતો. તે તેની બુદ્ધિ અને તીક્ષ્ણ જીભ માટે જાણીતો હતો, ઘણીવાર અવજ્ઞા અને આજ્ઞાભંગના જાહેર પ્રદર્શનમાં ભાગ લેતો હતો. એક પ્રસિદ્ધ ટુચકામાં ડાયોજીનીસ એથેન્સની શેરીઓમાં ફાનસ સાથે દિવસના અજવાળામાં ચાલતા હોવાનો દાવો કરે છે, તે એક પ્રામાણિક માણસની શોધમાં હોવાનો દાવો કરે છે. આ કૃત્ય તેણે સમાજમાં જોયેલા દંભ અને ભ્રષ્ટાચારની ટીકા હતી.
જ્યારે સોક્રેટીસ તર્ક અને સ્વ-પરીક્ષણની શક્તિમાં માનતા હતા, ત્યારે ડાયોજેનિસે તેની ફિલસૂફીને તેની ક્રિયાઓ અને જીવનશૈલી દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. બંને ફિલસૂફોએ યથાસ્થિતિને પડકારવાનો અને અન્ય લોકોને તેમની ધારણાઓ અને માન્યતાઓ પર પ્રશ્ન કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો.
ડાયોજીનસ લોકો અને સમાજ ઉપર તીખા પ્રહારો કરવા માટે જાણીતો હતો. એણે સોક્રેટિસ, પ્લેટો સહિત કોઈ ફિલોસોફરોને પણ પોતાની જાતે ચડાવવામાં બાકી રાખ્યા નથી. સોક્રેટિસ, એરિસ્ટોટલ અને પ્લેટો એકેડમીક તો ખરા પરંતુ સાથે પ્રોફેશનલ પણ લાગે. ઇતિહાસમાં સ્થાન લેવા માટે જાણે કે એમની કોઈ પીઆરશીપ કામ કરતી હતી. જ્યારે ડાયોજીનસને એની કંઈ જ પડી ન હતી. દુનિયા આખીએ ગ્રીક ઇતિહાસકારોનો આભાર માનવો પડે કારણ કે તેઓએ ડાયોલોજીનસને પણ યાદ રાખ્યો છે.
