Saturday June 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ-મરણ નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ હવે મામલતદારને

        Kunjan Radiya, Jam Khambhaliya

વર્તમાન સમયે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, આરટીએસ, સીટીએસ તથા તકરારી કેસો, લેન્ડ ગ્રેબીંગ, રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે હંગામી બિનખેતી વિગેરે જેવી કામગીરીનું ભારણ વધ્યું હોવાથી તથા અરજીઓના નિકાલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેથી એક વર્ષથી વધુ વિલંબ બાદ જન્મ-મરણ નોંધણીના અધિકારો તાલુકા કક્ષાએ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને સોંપવામાં આવે તો સબ ડિવિઝનલ કક્ષાએ કામગીરીનું ભારણ ઓછું કરી શકાય તથા તાલુકા કક્ષાએથી જ જન્મ-મરણ નોંધણી પ્રક્રીયા કરવામાં આવે તો અરજદારોને પણ અનુકૂળતા રહે આ બાબતે અવારનવાર બાર એસોશિયેશન અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પણ વિચારણા કરવા રજુઆત મળેલ છે. સરકારશ્રીનો અભિગમ અને નિતિ પણ શક્ય હોય તેટલી બાબતોમાં વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએથી સગવડ મળી રહે તે પ્રકારની રહી છે.

     જે અનુસાર એક વર્ષથી ઉપરના જન્મ-મરણની નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ તાલુકા કક્ષાએ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને સોંપવાનો હુકમ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top