પરવાળા ગામે સોમવારથી યોજાશેશ્રીમદ્ ભાગવત કથા પારાયણ

બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા પિતૃઓનાં મોક્ષાર્થે આયોજન

મૂકેશ પંડિત, ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૧૦-૨૦૨૫

પરવાળા ગામે શ્રી બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા સર્વ પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. સોમવારથી ભક્તિભાવ સાથે આયોજન થનાર છે.

સોમવાર તા.૨૭થી રવિવાર તા.૨ દરમિયાન પરવાળા ગામે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ યોજાશે. વ્યાસપીઠ પર રંઘોળાવાળા શ્રી અમિતપ્રસાદ ભટ્ટ બિરાજી કથામૃત લાભ આપનાર છે.

પરવાળા ગામે શ્રી બાલા હનુમાનજી અને શ્રી ન્યાલદાસજીબાપુ આશ્રમ જીર્ણોધ્ધાર તથા સર્વ પિતૃઓનાં મોક્ષાર્થે આ કથાનું આયોજન થયેલ છે. ક્થા દરમિયાન તુલસી વિવાહ પ્રસંગની ઉજવણી થનાર છે. સોમવારથી ભક્તિભાવ સાથે આ આયોજન થનાર છે, જેમાં રક્તદાન શિબિર પણ રાખવામાં આવેલ છે. ગામનાં વિવિધ મંડળો દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *