જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫
જામ ખંભાળિયા નિવાસી સ્વ. રણછોડદાસ પોપટલાલ બરછાના પુત્ર જગજીવન રણછોડદાસ બરછા (જગુભાઈ ઘી વાળા) (ઉ.વ. 82) તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. જીવણભાઈ, અમુભાઈ, સુંદરદાસભાઈ (સ્પેન વાળા) ના નાના ભાઈ તથા વિનુભાઈ (ઘી વારા)ના મોટા ભાઈ તેમજ કેતનભાઈ અને આશિતભાઈના પિતાશ્રી તથા વિધી, સોહમ, ક્રિષ્નના દાદા તેમજ મૂળજી વાલજી પંચમતિયા (સલાયાવાળા) ના જમાઈ સોમવાર તા. 27-01-2025ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સાસરા પક્ષની સાદડી આજરોજ સોમવારે સાંજે 5 થી 5:30 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
