જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬
અવસાન નોંધ
જામ ખંભાળીયા: સ્વ. અમૃતલાલ પોપટભાઈ દુધૈયાના પુત્ર શાંતિલાલ (મુળ ભાટીયા વાળા) (ઉ.વ. 76) તે નિર્મળાબેનના પતિ તથા બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા તેમજ નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.), જગુભાઈ (રાજકોટ) અને રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના મોટાભાઈ તથા અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા અને સ્વ. ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈ તા.28 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરુવાર તા. 5 ના રોજ સાંજે 4 થી 4:30 ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, સ્ટેશન રોડ, જામ ખંભાળિયા ખાતે રાખેલ છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
