રાજકોટ
રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.