જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના રામનગર ગામની ખેતીની જમીન ગુજ. સતવારા રામજી વિરા નકુમે રામનગરના રહીશ વેલજીભાઈ મનજીભાઈ કછટીયાને રજીસ્ટર વેચાણ સોદાખતથી વેચાણ આપી હતી. ત્યારથી તે જમીનનો કબજો વેલજી મનજી કછટીયાનો હોવાનું જણાવી, ગુજ. સતવારા રામજી વિરાના વારસો દસ્તાવેજ કરી આપે તે બાબતે કરારના વિશિષ્ટ પાલન તથા કાયમી મનાઈ હુકમ મળવાનો દાવો ખંભાળિયાના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટમાં દાખલ કરતાં નામદાર કોર્ટમાં વાદી તથા પ્રતિવાદી પક્ષે રજુ થયેલા આધાર પુરાવાઓ તથા પ્રતિવાદી પક્ષે રોકાયેલા વકીલ કમલભાઈ ત્રીવેદીની દલીલોને ધ્યાને લઈ પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ દ્વારા વાદી વેલજીભાઈ મનજીભાઈ કછટીયાનો દાવો નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં પ્રતિવાદી પક્ષે કે.એચ. ત્રીવેદી, ડી.ડી. લુણા, ધાર્મિક ઓડીચ, આર.એન. જાડેજા તથા આસિસ્ટન્ટ કરણભાઈ બી. સવજાણી અને ભોજાભાઈ મોવર રોકાયા હતા.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)