જામ ખંભાંળિયા
કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર તાલુકાના વતની હિરલાભાઈ જીનીયાભાઈ ચંગળ નામનો 19 વર્ષનો આદિવાસી યુવાન થોડો અસ્થિર મગજનો હોય, આ પરિસ્થિતિમાં તેણે ગઈકાલે રવિવારે એક આસામીની વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ રામસિંગભાઈ આદિવાસીએ કલ્યાણપુર પોલીસને કરી છે.