Friday June 20, 2025

કુતરાને માર મારતા યુવાનને ટપારતા કુહાડી વડે હુમલો: ભાણવડનો બનાવ

    Kunjan Radiya, Bhanvad

 ભાણવડમાં આવેલી પદ્માવતી સોસાયટી ખાતે રહેતા દેવાભાઈ સાદીયા નામના શખ્સ દ્વારા બજારમાં કુતરાઓને મારવામાં આવતા આ વિસ્તારમાં રહેતા સવિતાબેન કિશોરભાઈ ચાવડાએ દેવાભાઈને કૂતરાઓને ન મારવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાયેલા દેવાભાઈએ તેના હાથમાં રહેલા કુહાડા સાથે અહીં આવી અને તેમના ઘર નજીક રીક્ષાનું રીપેરીંગ કામ કરતા તેણીના પતિ કિશોરભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ. 41) ઉપર કુહાડી વડે હુમલો કરી તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, કુહાડી વડે તેમના ઘરનો દરવાજો તોડી, ઘરમાં પ્રવેશીને બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ભાણવડ પોલીસમાં જાહેર થયું છે.

         આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે કિશોરભાઈ જેઠાભાઈ ચાવડાની ફરિયાદ પરથી દેવા સાદીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top