
મૂકેશ પંડિત, ભાવનગર
એસએસઆઈપી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના રાષ્ટ્રહિત ઇનોવેશનને ઉજાગર કરવા 20,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન દેશના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવું. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ અપ કલ્ચરની શાળા સુધી પ્રસ્થાપિત કરવું. નવા નવા ઇનોવેટિવ પ્રોજેક્ટ લાવનારા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા.
આમાં ધોરણ નવ માં અભ્યાસ કરતા
- મેર વિવેક રાજુભાઈ
- ગોહિલ અક્ષત સિંહ
બંને વિદ્યાર્થીઓને શાળાના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી ચૌહાણ ચંદ્રિકાબેન રતિભાઈ ના માર્ગદર્શન નીચે ઇમરજન્સી યાંત્રિક પુલ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં અને પ્રેરણા અને પ્રોત્સાહન શાળાના આચાર્યશ્રી ભાવિનભાઈ ભટ્ટ તથા ટ્રસ્ટ પરિવાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું. આ કૃતિનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા છે. આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયો અને રાજ્ય સરકાર દ્વારા 20,000 સુધીની ગ્રાન્ટ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવી.