મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણીના ઘરે ભવ્ય ધર્મોત્સવ
કંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિના અગ્રણી તેમજ લોહાણા મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ કાંતિલાલ વિઠલાણીના રાજકોટ સ્થિત નિવાસસ્થાને શુક્રવાર તારીખ 24 મીના રોજ શ્રીનાથજી બાવાની ધ્વજાજીની મંગલ પધરામણી થશે.
હાલ રાજકોટ નિવાસી અને ખંભાળિયાના અગ્રણી ઓઇલ મિલર તેમજ બિલ્ડર કમલેશભાઈ વિઠલાણીના સ્પર્શ બંગ્લોઝ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, કાલાવડ રોડ, રાજકોટ ખાતેના નિવાસ્થાને વૈષ્ણવોના પૂજનીય શ્રી ગોવર્ધનધરણ શ્રીનાથજી બાવાની ધ્વજાજીની પધરામણી શુક્રવાર તારીખ 24 ના રોજ થશે. આ પ્રસંગે સાંજે 6:30 વાગ્યે સામૈયું તેમજ 7:30 વાગ્યે દર્શન અને શયન આરતી બાદ રાત્રે 7:30 થી 11 વાગ્યા સુધી સંગીત સંધ્યા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
આ ધર્મોત્સવમાં સહભાગી થવા ગં.સ્વ. લીલાવંતીબેન કાંતિલાલ વિઠલાણી પરિવાર વતી કમલેશભાઈ વિઠલાણી દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો છે.