Saturday June 21, 2025

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫

        ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

       જાણીતા દાતા અરવિંદભાઈ શાહ તથા શ્રીમતી તારાબેન શાહ પરિવાર (હાલ યુ.કે.)ના સહયોગથી યોજવામાં આવેલા આ નિદાન સારવાર કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસજી બાપુ હોસ્પિટલના ડોક્ટરો અને ટેકનીશિયનો તેઓની સેવાઓ આપશે. અહીં દર્દીઓને સ્થળ પર તપાસી અને દવા તેમજ સારવાર બાદ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે રાજકોટ લઈ જઈ અને નેત્રમણી સાથેનું ઓપરેશન પણ કરી આપવામાં આવશે.

       આ સાથે દાતાઓના સન્માન ઉપરાંત આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, અગ્રણી જનરલ સર્જન ડો. ઓ.પી. શાંખલા તેમજ બાળરોગ નિષ્ણાંત ડો. રાજેશ બરછા ખાસ ઉપસ્થિત રહેશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top