Saturday June 21, 2025

ખંભાળિયામાં ઉજવાયું ઉત્સાહનું પર્વ ઉતરાયણ- “એ કાયપો છે..”ના નાદથી ગુંજી ઉઠ્યાં ધાબાંઓ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

    ઉમંગ ઉત્સાહના પર્વ ઉતરાયણની આજરોજ ખંભાળિયાવાસીઓએ મન ભરીને ઉજવણી કરી હતી. મકરસંક્રાતિના પાવન પર્વ નિમિત્તે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના લોકોએ મનોરંજન આનંદ સાથે દાન પુણ્ય કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
   ઉતરાયણ પર્વત નિમિત્તે આજરોજ પવનની ગતિ માફકસર બની રહેતા સવારથી જ ધાબે-અગાસી પર ચડી ગયેલા પતંગરસીયાઓને મોજ પડી ગઈ હતી. ખાસ કરીને યુવાનો તેમજ બાળકોએ આજે સવારથી મોડી સાંજ સુધી પતંગ ઉડાડ્યા હતા. આજે શહેરનું આખું આકાશ રંગબેરંગી તેમજ વિવિધ આકાર પ્રકારના પતંગોથી છવાયેલું જોવા મળી રહ્યું હતું. આજે સવારથી વીજકાપ વચ્ચે પણ લોકોએ અગાસી પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવીને મ્યુઝિક સિસ્ટમ તેમજ પીપૂડાના શોરગુલ્લ વચ્ચે "એ કાયપો છે"ની ગગનભેદી ચિચિયારીઓ સાંભળવા મળી હતી. મકરસંક્રાંતિ નિમિત્તે આજે લોકોએ ધાબા પર ચીકી, બોર, જીંજરાની તેમજ બપોરે જમવામાં ઊંધીયા-પુરીની મોજ માણી હતી અને શહેરના મોટાભાગના ઊંધિયાના વેપારીઓને જાણે તડાકો બોલી ગયો હતો. 
   આજે સમગ્ર શહેરમાં ઉમંગ ઉત્સાહની ઉજવણી સાથે લોકોએ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું દાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

(ફોટો:- મિલન કોટેચા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top