Friday June 20, 2025

ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા મિલકતોની થશે ચતુર્વર્ષિય આકારણી: કામગીરીમાં સહયોગ આપવા નગરજનોને તંત્રનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫

       ખંભાળિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓની મિલકત સંદર્ભે સરકારના નિયમ મુજબ ચતુર્વર્ષિય આકારણી કરવામાં આવનાર છે. આથી તમામ મિલકતોની હાથ ધરાનાર આ ચતુર્વર્ષિય આકારણીની કામગીરીમાં રોકાયેલા સરવેની ટીમના કર્મચારીઓ તેમજ અધિકારીઓને નગરજનો દ્વારા તેમની મિલકતની યાદી તથા જરૂરિયાત મુજબના મિલકતોના આધાર-પુરાવા માટે જે-તે દુકાન, રહેણાંક કે ઓફિસમાં આવતા કર્મચારીઓ, અધિકારીઓને આપવાના થતા સાધનિક કાગળ જોવા માટે પૂરા પાડવા માટે સહયોગ આપવા નગરપાલિકાના ચીફ ઓફિસરની એક યાદીમાં જણાવાયું છે. 

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top