જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૫
મકરસંક્રાતિના પાવન પર્વના નિમિત્તે આજરોજ ખંભાળિયામાં ગોવિંદ તળાવ વિસ્તારમાં કેન્દ્ર 24 અને 19 ની આંગણવાડીમાં તમામ બાળકોને પતંગ, દોર, વેફર અને ચોકલેટ-બિસ્કીટ સહિતના નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા શહેર ભાજપ અને અન્ય દાતાઓના સહયોગથી આ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યમાં શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, હસમુખભાઈ ધોળકિયા, આંગણવાડીના લક્ષ્મીબેન મકવાણા, રંજનબા અને આંગણવાડી વર્કર હેલ્પરો સાથે જોડાયા હતા.
(ફોટો:- કુંજન રાડિયા)




