Saturday June 21, 2025

ખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞ તથા દંત યજ્ઞનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૪

       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત અત્રે જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 13 એપ્રિલના રોજ સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે વિના મૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

        મુંબઈ નિવાસી દીપીકાબેન ચંદ્રકાંતભાઈ બરછા તેમજ નીતાબેન મુકેશભાઈ અને રૂપાબેન ભાવેશભાઈ બરછાના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી નેત્ર ચિકિત્સામાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમ સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વીરનગર લઈ જઈ અને વિના મૂલ્યે ઓપરેશન કરી અહીં પરત લાવવામાં આવશે. અહીં દાંતના રોગની પણ સારવાર કરવામાં આવશે.

       આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ માટે સંસ્થાના ધીરેનભાઈ બદીયાણી, રાજેન્દ્રભાઈ મજીઠીયા, વિમલભાઈ સાયાણી, સુભાષભાઈ બારોટ તેમજ તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top