જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૪
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા શક્તિનગરના મેદાનમાં આગામી શનિવાર તારીખ 22 મીના રોજ રાત્રે 10 વાગ્યે માણેક વાડાના પ્રખ્યાત જય રામદેવ રામા મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
અહીંના જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા આયોજિત આ રામા મંડળમાં ધર્મલાભ લેવા શહેર તથા આસપાસની જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)