કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયા સ્થિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે શુક્રવાર તારીખ 10 ના રોજ સવારે 10:30 વાગ્યે અહીંની આઈ.ટી.આઈ. ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.
ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયુ છે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ માટે એસ.એસ.સી, એચ.અસ.સી., આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા તથા ડિપ્લોમા ઇન સેફટી અને 3 વર્ષ અનુભવ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, સેલ્સ ઓફિસર, સેફટી ઓફિસર જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેમાં હાજર રહી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.