
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૬
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજરોજ બુધવારે શહીદ દિન નિમિતે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે સવારે બે મિનિટ મૌન પાળીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)