Saturday June 21, 2025

ખંભાળિયા: મકર સંક્રાંતિ નિમિતે પતંગનો વિશિષ્ટ શ્રુંગાર: યુવા પ્રેસ ફોટોગ્રાફર અને યુ-ટ્યુબર મિલન કોટેચાનો અનોખો ઉપક્રમ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૧-૨૦૨૫

    મકર સંક્રાંતિના પાવન તહેવારને નવી ઊંચાઈ આપવા માટે ખંભાળિયાના યુવા પ્રેસ ફોટોગ્રાફર તથા યુ-ટ્યુબર મિલન કોટેચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. તેમના દ્વારા અહીંના જાણીતા જલારામ મંદિર અને કલ્યાણરાયજી મંદિરમાં પતંગના આકર્ષક શ્રુંગારનું આયોજન કર્યું હતું, જે લોકોએ ખુજાણીતાસંદ કર્યું હતું.
    આ કાર્યમાં મંદિરના પૂજારીઓ અને તેમના નિકટના સાથીઓ વિશાલ કુંડલીયા, નક્ષ કુંડલીયા અને જય પાઉં દ્વારા નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. આ પતંગના શ્રુંગારમાં અનેક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે હજારો શ્રદ્ધાળુઓએ આ વિશિષ્ટ પતંગ શ્રુંગારના દર્શનનો લાભ લીધો હતો.

(ફોટો:- મિલન કોટેચા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top