કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણા (ઉ.વ. 29) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી