
ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણી તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના પતિદેવ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એવા પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ છે.
તા. ૪-૨-૧૯૬૩ના રોજ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે જન્મેલા પ્રતાપસિંહ સિદુભા જાડેજા અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકયા છે. હાલમાં તેમના પુત્રવધૂ રિધ્ધીબા શકિતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમજ તેઓ હાલ સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના પ્રમુખ તેમજ જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન તરીકે નોંધપાત્ર સેવાઓ આપી ચૂક્યા છે.
પી.એસ. જાડેજાને ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડની સિકલ ફેરવી અને અનેરી ઉંચાઈઓના શિખર સુધી પહોંચાડવા માટેનો શ્રેય જાય છે. પી.એસ.ને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નં. ૯૪૨૬૯ ૪૬૭૧૫ પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)