કુંજન રાડિયા, જામ ખંભાળિયા
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા દિનેશભાઈ રત્નાભાઈ નકુમ નામના 34 વર્ષના દલવાડી યુવાન પોતે ભાગમાં રાખેલી વાડીમાં નિંદામણ કરવા માટે ગયા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર અહીં રહેલા ઝટકા મશીનના વાયરમાં તેઓ અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રત્નાભાઈ સવજીભાઈ નકુમ (ઉ.વ. 65, રહે. કેનેડી) એ સ્થાનિક પોલીસને કરી છે.