કુંજન રાડીયા, જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પ્રકારના શારીરિક ઈજા કરી શકાય તેવા શસ્ત્રો, ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઈ જવા પર, મનુષ્ય અથવા તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા અને ટોળામાં ફરવા પર, પથ્થરો કે ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અને ફેંકવા કે ધકેલવાના યંત્રોની હેરફેર પર પ્રતિબંધ લગાવાયો છે. આ પ્રતિબંધો નિયમાનુસાર પરવાનગી ધરાવનારા વ્યક્તિઓને લાગુ પડશે નહીં.