જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫
દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિની જર્જરીત બની ગયેલી લોહાણા મહાજન વાડીના નવનિર્માણ માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જુની વાડીને સંપુર્ણ પણે તોડી પાડવામાં આવી છે. નવી મહાજન વાડીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર સહિતની અદ્યતન સુવિધાસભર સવલતો જ્ઞાતિજનોને ઉપલબ્ધ થશે.
જ્ઞાતિના ટ્રસ્ટીઓ ડો. નિતિન બારાઈ, જીતેશ દાવડા (મામા), સંજય રાયઠઠ્ઠા, હિરેન ગોકાણી તથા અન્ય રઘુવંશી અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ સમાજ વાડીના નવનિર્માણની કામગીરી જામનગર પ્રાસાદ શિલ્પના આર્કિટેકટ એન્જિનિયર ધીરેશ પાટલીયા સંભાળી રહયા છે.
અંદાજે 18 હજાર ફુટની વિશાળ જગ્યામાં આશરે 75 હજાર ફુટના બાંધકામ સાથે લોહાણા મહાજન વાડીનું નિર્માણ થશે. લોહાણા સમાજના આ ભગીરથ કાર્ય માટે બહાર ગામના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા નોંધપાત્ર સહયોગ મળી રહયો છે.

(ફોટો:- કુંજન રાડિયા)