કુંજન રાડિયા, દ્વારકા
દ્વારકા – પોરબંદર ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ભીમપરા ગામ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 બી.આર. 1817 નંબરની કિયા મોટરકારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી, અને આ માર્ગ પર જઈ રહેલી જી.જે. 25 વી. 6255 નંબરની પ્યાગો રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં રીક્ષા પલટી ખાઈ જતા તેમાં જઈ રહેલા પોરબંદર તાલુકાના રાતડી ગામના જેઠાભાઈ ઘેલાભાઈ સિંગરખીયા (ઉ.વ. 61) તેમજ અન્ય મુસાફરોને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જેઠાભાઈ સિંગરખીયા (ઉ.વ. 61) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કિયા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.