Saturday June 21, 2025

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫

      દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર આજરોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા આઠ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે મોટી જાનહાની થતા અટકી હતી. 

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top