Friday June 20, 2025

પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે

લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત

ભાવનગર ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫

પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે.

પત્રકાર અને તસવીરકાર તરીકે સમાચાર સંકલન અને તેની કામગીરી સાથેનાં અનુભવો અંગે લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે શ્રી મૂકેશ પંડિત દ્વારા વાત કરવાનો ઉપક્રમ યોજાઈ ગયો.

સ્થાનિક ઘટનાઓ, પ્રાસંગિક આયોજનો, ગુનાખોરી તેમજ ઉત્સવો અને યાત્રાઓ સંબંધી વિગતો અને પોતાનાં અનુભવો જણાવતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિતે પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે તેમ જણાવ્યું. તેઓએ અમરનાથ યાત્રા તેમજ પ્રયાગરાજ મહાકુંભમેળા અને અન્ય વાતો પ્રસ્તુત કરી. તેઓએ રચનાત્મક સમાચારો જ વાંચતા રહેવાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો.

પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં આ વેળાએ કેન્દ્ર સંચાલક શ્રી પાતુભાઈ આહિરે પ્રાસંગિક વાત કરી હતી. પ્રારંભે પરિચય વિધિ શ્રી એભલભાઈ ભાલિયા દ્વારા કરવામાં આવી.

આચાર્ય શ્રી નિર્મળભાઈ પરમાર, શ્રી સંજયભાઈ ડોડિયા, શ્રી વિપુલભાઈ વસાવા, શ્રી અસ્મિતાબેન મકવાણા, શ્રી જયરાજભાઈ પરમાર વગેરે જોડાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top