હરેશ જોષી – કુઢેલી
સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ અને સરકારી હોમિયોપેથીક દવાખાનુ મોટી રાજસ્થળી દ્વારા શ્રીમતી પી.એન.આર શાહ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ પાલીતાણા ખાતે સર્વરોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા વિકસાવેલ ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડોક્ટર જયદીપભાઇ ડોડીયા, ડોક્ટર નેહાબેન જોશી દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને પ્રકૃતિ પરીક્ષણ કરી જરૂરીયાત મુજબ દવા અને સલાહ આપવામાં આવેલ જેમાં કોલેજના આચાર્યશ્રી પંકજભાઈ ત્રિવેદી માધવીબેન વ્યાસ અને વિનુભાઈ ભરવાડ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ

