મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫

બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ મળેલ છે. સંસ્થાનાં શ્રી દેવચંદભાઈ સાવલિયાનાં નેતૃત્વમાં આ સામાજિક કાર્ય ચાલી રહેલ છે.