ખંભાત કોલેજ એમ.કોમ વિભાગ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો હતો.
પ્રાપ્ત માહિતીઅનુસાર ખંભાત કોલેજ કેમ્પસ ખાતે આવેલ એમ. કોમ વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે ” “મૂળાક્ષરો નો મહાવરો” વિષય અંતર્ગત ખંભાત ગ્રામીણ પોલીસ ઇન્સ્પેક્ટર પરેશભાઈ નાઇ ( મુખ્ય મહેમાન)રાષ્ટ્રીય શૈશિક મહાસંઘ ખંભાત ના અધ્યક્ષ હશમુખભાઈ અનામી , સંગઠન મંત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

ની વિશેષ ઉપસ્થિતિ માં ખંભાત પ્રાથમિક શાળા બ્રાંચ ૧૧ ખાતે આચાર્ય ધવલભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ તરીકે કનુભાઈ બારૈયા ( અધ્યક્ષ એમ. એ) તથા વિનાયક પાડવાની ( અધ્યક્ષ એમ એસ સી) ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત આચાર્ય ધવલ જોશી એ મહેમાનો ના શાબ્દિક પરિચય થી કરી હતી. આ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે દરેક બાળકોએ મૂળાક્ષરો. ( ક, ખ, ગ, ઘ )બોલી ને ઈનામ પ્રાપ્ત કરવાનું હતું.
પોલીસ અધિકારી પરેશ નાઇ સાહેબે જણાવ્યું હતું કે બાળકો ને માતૃભાષા માં જેવી સમજ પડે એ બીજી ભાષા માં પડતી નથી. દરેક વાલીઓ એ અંગ્રેજી ભાષા જેટલું જ મહત્વ માતૃભાષા ને પણ આપવું જોઈએ. માતૃભાષા એ તો લાગણીઓ, સંવેદનાઓ, અને પ્રેમ વ્યક્ત કરવાની ભાષા છે. વ્યક્તિ જ્યારે ખુબ ખુશ હોય અથવા ખુબ ઉદાસ હોય ત્યારે પોતાની માતૃભાષા માં વ્યક્ત કરે છે.કાર્યક્રમનું સંચાલન શિક્ષક મેહુલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
