Saturday June 21, 2025

ભાણવડમાં મકરસંક્રાંતિ પર્વ બાદના દિવસોમાં ગૌવંશને પીરસાયું લાડવાનું જમણ

કેબિનેટ મંત્રીમુળુભાઇ બેરાના પુત્ર હર્ષદ બેરા દ્વારા સેવા પ્રવૃત્તિ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૧-૨૦૨૫

      મકરસંક્રાંતિ એટલે દાનનો પર્વ, આ પર્વ દરમ્યાન લોકો પશુ, પક્ષી, અને ગરીબ લોકોને દાન કરતા હોય છે. ત્યારે સંક્રાંતિના પાવન પર્વ દિવસે બિનવારસુ ગૌવંશોને ખૂબ વધુ ખોરાક મળતો હોય છે. ત્યારે આ સમયે બગાડ ના થાય તે હેતુથી આ પર્વ બાદના દિવસોમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરા દ્વારા ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા પ્રવૃત્તિમાં કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ – ભાણવડની મદદથી ભાણવડના તમામ ગૌવંશોને 1200 કિલોગ્રામ જેટલા સ્વાસ્થ્ય વર્ધક લાડવા બનાવી ખવડાવવામાં આવ્યા હતા.

        આ તકે ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમના તમામ સભ્યો, ભાણવડ સેવા ગ્રુપ અને એનિમલ લવર્સ ગ્રુપ – ટીંબડીના સભ્યો દ્વારા ભાણવડ સ્થિત શિવ બળદ આશ્રમે ખાતે 1200 કિલો લાડવા સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વાહનોની મદદથી આ સભ્યોની જુદી – જુદી ટીમ બનાવી અને ભાણવડની તમામ ગલી, શેરી અને મહોલ્લામાં જઈને રાત્રિ દરમ્યાન આ લાગવા ખવડાવવામાં આવ્યા હતા. સાથે સાથે કોઈ ગૌવંશ બાકી ના રહી જાય અને બગાડ પણ ન થાય તેનું ખાસ ધ્યાન રખાયું હતું.

        ભાણવડ પંથકમાં વાવાઝોડા, વરસાદ જેવા કપરા સમય કે જ્યારે માલિક વિહોણા ગૌવંશ, શ્વાનો જેવા અબોલ જીવો માટે ખોરાક, રક્ષણની જરૂર હોય ત્યારે જ્યારે અને જ્યાં જરૂર હોય ત્યારે હર્ષદભાઈ બેરા દ્વારા એનિમલ લવર્સ અને શિવ બળદ આશ્રમના સભ્યોની મદદથી સેવા પ્રવૃત્તિ હાથ ધરાય છે. ત્યારે સંક્રાંતિ નિમિતે સ્વાસ્થ્યવર્ધક લાડવા ખવડાવવાની પ્રશંસનીય પ્રવૃત્તિ કરાઈ હતી.

     આ સેવાયજ્ઞમાં ભાણવડના એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટ, શિવ બળદ આશ્રમ, ભાણવડ સેવા ગ્રુપ તેમજ ટીંબડીના એનિમલ લવર્સ ગ્રુપ વિગેરેએ જોડાઈને આ સેવાકાર્યને સફળ બનાવ્યું હતું.


(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top