ભાવનગર
ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતી મોરચા દ્વારા જશોનાથ સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાર્પણ કરવામાં આવેલ તેમજ શહેર અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકોને ડોક્ટર સાહેબના જીવન વૃતાંત વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. ઉક્ત કાર્યક્રમમાં અભયભાઈ ચૌહાણ સહિત મેયર ભરતભાઈ બારડ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરૂમુખાણી, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, નિકુંજભાઈ મહેતા, હાર્દિકભાઈ વાઘેલા, અનુ. જાતી મોરચા અધ્યક્ષ ભરતભાઈ મકવાણા, નલીનભાઈ પટેલ, અરવિંદ રાઠોડ, પ્રવક્તા હરેશભાઈ પરમાર, મોહનભાઈ બોરીચા, નગરસેવકો નરેશભાઈ ચાવડા, હીરાબેન વિંઝુડા, સેજલબેન ગોહિલ તેમજ શહેર અને વોર્ડ સંગઠન, અનુ. જાતી અને જનજાતિ મોરચા સહિત વિવિધ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

