Friday June 20, 2025

ભાવનગરમાં શનિવારે યશવંતરાય નાટ્યગૃહ યોજાશે “બરસાત મેં તાક ધીનાં…..ધીન”…. શંકર-જયકીશનનાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ

મૂકેશ પંડિત, ભાવનગર

તા ૧૦-૫-૨૫ને શનિવારના રોજ ભાવેણાની લોકપ્રિય ક્લાસંસ્થા કલાપથ પ્રસ્તુત મહાન સંગીતકાર શંકર-જયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમબરસાતમે તાક ધીનાં… ધીન… યશવંતરાય નાટ્યગૃહમાં શંકર-જયકીશનના “ચાહકો”માટે રાત્રે ૮-૩૦( સાડા આઠ) વાગે નિઃશુલ્ક યોજાશે જેમાં ગૌરવ પુરસ્કૃત ભુપેન્દ્ર વસાવડા(રાજકોટ), ભાવેણાનુ ઘરેણુ એવા લોકપ્રિય કલાકાર પ્રીતમ શાહ ઉપરાંત વીરેન્દ્ર મેર , હસમુખ દુધરેજીયા(રાજકોટ), ડૉ એન પી કુહાડીયા, ડૉ સલોની ચૌહાણ, ડૉ ભૌરવી દીક્ષિત-ત્રિવેદી, ડૉ જયશ્રી દીક્ષિત-પટેલ (આણંદ), મિલી પંડ્યા, શિલ્પા અંધારિયા, અનિલ વંકાણી, જય ધાપા, સ્વાતિ ધાપા, ભાવિકા લંગાળીયા,વગેરે કંઠના કામણ પીરસશે જ્યારે સંગીત સંચાલન ભુપેન્દ્ર વસાવડા-પ્રવીણ ત્રિવેદી(બન્ને શંકર-જયકિશન ફેઈમ)તેમજ ગૌરવ વસાવડા કરશે. કાર્યક્રમ બેહદ સફળતાને વરે તે માટે સંસ્થાના પ્રમુખ મનુભાઈ દીક્ષિત”ડીગાજી” તેમજ ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિત, ભાવિન સોલંકી , કલાપથ સંસ્થાના કલાકારો, સૌમ્ય કરાઓકે ક્લબ, ભૂમિ મહેતા, કાળાતલાવ બહુચર મંડળ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. જેના એન્ટ્રી પાસ ૬મે થી૧૦મેં નાટ્યગૃહ બારીએ થી સવારે ૯થી૧૧ અને સાંજે ૫ થી ૭ દરમિયાન નિઃશુલ્ક આપવામાં આવશે તથા રેનેસા સેકન્ડરીને હાયર સેકન્ડરી સ્કુલ (ટી વી રીલે કેન્દ્ર ઘોઘા સર્કલ) પરથી સવારે ૯ થી 11 દરમિયાન પણ મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top