
કોઈ જ નુકસાનકારક મસાલા વગર લોકોને મળશે શુદ્ધ સાત્વિક અસલ કાઠીયાવાડી ભોજન પ્રકાશ જાની

ભાવનગર
ભાવનગરના સીદસર રોડ પર આવેલ હિલપાર્કમાં જાણીતા સામાજિક યુવા અગ્રણી પ્રકાશભાઈ જાનીના નવા વેન્ચર “બાપાનો થાળ”નો રામનવમીના રોજ પ્રારંભ થયો હતો. “બાપાનો થાળ” એક એવી હોટલ છે અથવા તો એક એવું ફૂડ સ્ટેશન છે કે જે સ્વાદના શોખીનોને એક અનોખી દુનિયામાં લઈ જવાની નેમ સાથે શરૂ કરવામાં આવ્યું છે અને નવા સ્વાદ સાથે સૌરાષ્ટ્રનો બેઝિક એવો કાઠીયાવાડી સ્વાદ પણ આ હોટલનું મુખ્ય આકર્ષણ રહેશે.
“બાપાનો થાળ” રેસ્ટોરન્ટનું ઉદઘાટન પ્રકાશભાઈ જાનીની લાડલી દીકરી આરોહીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અનેક સામાજિક અગ્રણીઓ અને સાધુ સંતો પણ આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
રામ નવમીના દિવસે થયેલી આ એક અનોખી શરૂઆત અંગે હોટલના માલિક પ્રકાશભાઈ જાનીએ ખુશાલી સાથે જણાવ્યું કે અસલ કાઠીયાવાડી સ્વાદની અનુભૂતિ એ “બાપાનો થાળ” રેસ્ટોરન્ટ ની મુખ્ય ઓળખ રહેશે. આ હોટેલમાં પરંપરાગત વાનગીઓ ઉપરાંત નવી વાનગીઓ પણ ઉમેરાતી રહેશે પરંતુ અમે લોકોના આરોગ્યનું પહેલું ધ્યાન રાખશું અને તેથી અમારી હોટેલમાં કોઈ જ પ્રકારના નુકસાનકારક મસાલાઓનો વપરાશ કરવામાં આવશે નહીં અને તેમ છતાં ઉત્તમ સ્વાદની અનુભૂતિ કરાવશે. તેમણે ઉમેર્યું કે હોટલ શરૂ થયાના પ્રથમ વીકમાં લોકો તરફથી ખૂબ જ સારું પ્રતિભાવ મળ્યો છે.