
હરેશ પરમાર, ભાવનગર
તા. ૨૨-૦૪-૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓ પર હુમલો કરેલ. આ હુમલામાં ચોવીસ કરતા વધુ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓનો ભોગ લેવાયો છે, ત્યારે ભાવનગર શહેર ભાજપે મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આવા ક્રૂર અને અમાનવીય કૃત્યને વખોડી કાઢ્યું હતું, તેમજ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં ન આવે અને પહેલગામ હુમલાના ગુનેગારોને તેમના ઘૃણાસ્પદ કૃત્યની ખૂબ જ કઠોર સજા મળે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં શહેર ભાજપ તેમજ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વરિષ્ઠ આગેવાનોએ ભાવનગરના અસરગ્રસ્ત પરિવારોને આશ્વાસન આપ્યું હતું તેમજ મૃતદેહોને ઝડપથી ભાવનગર લાવી શકાય તે માટે વહીવટી તંત્રની સાથે રહીને પ્રયત્નો કર્યા હતાં.