
નવારતનપર, તા.17
નવારતનપર નિવાસી નાનુભાઈ સુખાભાઈ કંટારીયાના પુત્ર દિનેશભાઈ કંટારીયા (બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પુત્ર ઋત્વિક કંટારીયાના શુભ લગ્ન 18ના રોજ નિર્ધારેલ છે. અ. સૌ. હંસાબેન દિનેશભાઈ કંટારિયાના પુત્ર ઋત્વિકના લગ્ન ગૌશાળા નિવાસી ગવુબેન રામજીભાઈ જેઠવાની સુપુત્રી શીતલ ગૌરી સાથે સપ્તપદીની વિધિ સાથે પરંપરાગત રીતે ઘોઘા રોડ ગૌશાળા પ્લોટ નંબર 108, ભાવનગર ખાતે થશે. ચિ. ઋત્વિકને તેના મિત્રો, પરિવાર તરફથી તેમજ મીઠીવીરડીના તેમના દિહોરા પરિવારના મોસાળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.