મુકેશ પંડિત, માઇધાર
સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર ખાતે સાહસદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓમાં સાહસિક પ્રવૃત્તિ પ્રત્યે રસ જાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના 300 બાળકો અને પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધારના સમગ્ર સ્ટાફે પણ રસપૂર્વક ભાગ લીધો હતો. સવારે 8:00 કલાકે BSF ના જવાન ભાવેશભાઈ ડાંગર હસ્તે બાળકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું ,દોડ દરમિયાન શારીરિક અને માનસિક રીતે કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો હોવા છતાં પણ બાળકોમાં ઝનુન જોવા મળ્યું હતું .સ્ટાફના તમામ કાર્યકર્તાઓ દ્વારા બાળકોને વચ્ચે વચ્ચે એનર્જી ડ્રિંક્સ અને પાણી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને આગળ વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતુ હતું ,દોડ પૂર્ણ થયે તમામ ધોરણમાંથી એક થી ત્રણ ક્રમાંક આપવામાં આવ્યા ,ત્યારબાદ વાવ વાળા હનુમાનજી મંદિરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્ય મહેમાન તરીકે તળાજા ના પોલીસ અધિકારી ASI નિખિલભાઇ પંડ્યા, ડી- સ્ટાફ માંથી કરશનભાઈ સોહલા, મહેશભાઈ વાઘેલા (ડોક્ટર )તેમજ સુરેશભાઈ હુબલ (ભદ્રાવળ – 3 સરપંચશ્રી). દિનેશભાઈ ડાંગર (માઈધાર સરપંચ શ્રી)અને હમીરભાઈએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને વધારે સુંદર બનાવ્યો હતો .મહેમાન દ્વારા બાળકોને પ્રસંગ અનુરૂપ થોડી વાતો કરવામાં આવી અને એક થી ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા .છેલ્લે બધાએ સાથે સ્વરુચી ભોજન લઈ છૂટા પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક કાર્ય કરો એ જહેમત ઉઠાવી હતી.

