જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તેમજ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અકસ્માતો નિવારવા અલગ અલગ જગ્યાએ જનજાગૃતિ, અને માર્ગ સલામતી માસ અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધવણી કોલેજના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને તથા વાહન ચાલકો તથા રાહદારી નાગરિકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપી ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવેલ તેમજ ટ્રાફિક રૂલ્સ વિષેની પત્રિકા નું વિતરણ કરેલ અને ટ્રાફિક નિયમન માટે માહિતી પૂરી પાડી તેમજ ટ્રાફિક નિયમન ના સ્લોગન તથા બેનરો લોકો ને વંચાય તે રીતે જાહેર સ્થળ પર લગાવવામાં આવેલ તેમજ સરકારની “ગુડ સમરીટન યોજના” તથા હિટ એન્ડ રન મોટર વાહન અકસ્માત યોજના-૨૦૨૨ વિશે અવેરનેશ કરવમાં આવેલ. આ ઉપરાંત ઈમરજન્સી પોલીસ હેલ્પલાઇન નંબર- ૧૦૦,૧૧૨ તથા ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન ની માહિતી પુરી પાડવામાં આવેલ હતી.





