Friday June 20, 2025

રાજ્યમાં એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા

પોરબંદર જિલ્લામાં 2838 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 2828 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

જીલ્લામાં 26 વિદ્યાર્થીઓએ a1 ગ્રેડ, 315 વિદ્યાર્થીઓએ a2 ગ્રેડ, 614 વિદ્યાર્થીઓએ b1 અને 762 વિદ્યાર્થીઓએ b2 ગ્રેડ પ્રાપ્ત કર્યા

, પોરબંદર
રાજ્યમાં લેવાયેલી એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા જેટલું આવ્યું છે. જમા પોરબંદર નું પરિણામ ૯૦.૮૪ ટકા રહ્યું છે. પોરબંદર જિલ્લામાં કુલ 2838 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 2828 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 26 વિદ્યાર્થીઓએ a1 ગ્રેડ મેળવેલ છે. જ્યારે 315 વિદ્યાર્થીઓએ a2 ગ્રેડ મેળવેલ છે. 614 વિદ્યાર્થીઓએ b1 અને 762 વિદ્યાર્થીઓએ b2 ગ્રેડ મેળવેલ છે. એ જ રીતે 562 વિદ્યાર્થીઓએ c1 અને 268 વિદ્યાર્થીઓએ c2 ગ્રેડ મેળવેલ છે.
શિક્ષણ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (એચએસસી) 2025 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51% જેટલું આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ ૧૫૨ કેન્દ્રો ઉપર ૧,૧૧,૨૨૩ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા. તેમાંથી ૧,૧૦,૩૯૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિધાર્થીઓ ૧,૦૦,૭૨૫ નોંધાયેલ હતા, જેમાંથી ૧,૦૦,૫૭૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમાંથી ૮૩,૯૮૭ પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયા છે. આ વિધાર્થીઓના સંદર્ભમાં રાજ્યનો ઘોષણા-૧૨ વિજ્ઞાન પ્રવાહનો પરિણામ ૮૩.૫૧ ટકા આવેલ છે. પરિક્ષા બોર્ડે સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાના પાઠવી છે. સફળ ન થયેલા પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરી છે. પ્રમાણપત્ર પરીક્ષાની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા માટેનું પ્રવેશપત્ર (HALL-TICKET) ઓનલાઈન મુકવામાં આવેલ હતું. પ્રાયોગિક પરીક્ષાની માર્ક્સ એન્ટ્રી માટે પણ ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આમ સધળી વ્યવસ્થા વહુ સરળ અને સુયોજિત બનાવવા બોર્ડ પ્રયત્નશીલ છે. પરીક્ષા પદ્ધતિ અને સુરક્ષા પરિહાવટની ડાઉનલોડ-સંચિત કરવાથી માટે “PAPER BOX AUTHENTICATION AND TRACKING APPLICATION” બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ હતી. ગુજરાત એ ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું દેશનું પ્રથમ રાજ્ય છે. GUJCET-2025 ના પ્રશ્નપત્ર ખાનગીની વાહનો GPS થી મોનીટર કરવામાં આવ્યા અને પ્રશ્નપત્રના સ્ટોરેજનું મોનીટરીંગ CCTV મારફતે કરવામાં આવ્યું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓએ મુખ્ય પરીક્ષા-2025 ના પરિણામ બાદ તેમના વિષયોની પરિણામ સુધારણા માટેની પૂરક પરીક્ષા યોજાશે અને પરીક્ષાર્થીઓને “Best of Two” (બને કે પૈકી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે આપવામાં આવશે)નો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top