મુકેશ પંડિત, ઇશ્વરીયા
રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા ભોજન કરાવાયું. બાળકોને પાણીની બાટલી ભેટ આપવામાં આવી હતી.
