
મૂકેશ પંડિત, પિડવડ
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પ્રતિ વર્ષ પ્રાંગણ બહારના કાર્યક્રમો પૈકી પ્રથમ વર્ષ બીઆરએસના વંચિત વિસ્તાર અભ્યાસ શિબિર ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર વર્ષે યોજાતી રહી છે. આ વર્ષ આ શૈક્ષણીક શિબિર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમિયાન પિંડવળ જી. વલસાડ ખાતે યોજાયો છે. શિબિરમાં કુલ ૧૯ બહેનો અને ૪૯ ભાઈઓ તથા ૩ કાર્યકરો પ્રત્યક્ષ રીતે જુદી જુદી પ્રવૃત્તિના આયોજનમાં રહીને ત્યાના વિસ્તારની સાંસ્કૃતિક, જીવનશૈલી, ખેતી-પશુપાલન , શ્રમકાર્ય, તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના AQAC ના સહકારથી સર્વેક્ષણ દ્વારા અભ્યાસ કરીને તેના અહેવાલ રૂપે હસ્ત લિખિત ગ્રંથ તૈયાર કરાશે. શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ તા.૨૧/૦૨/૨૦૨૫ ના રોજ સર્વોદય પરિવાર ટ્રસ્ટના આશ્રમ સંચાલક સવજીભાઇ પાટીવાલાની અધ્યક્ષતામાં વંચિતો માટે જીવન સમર્પિત કરેલ ગ્રામશિલ્પી નિલમભાઈ પટેલના ઉદ્ઘાટિકીય ઉદબોધન અને દીપ પ્રાગટય થી યોજાયો. નિલમભાઈ પટેલે આ વિસ્તારની સાથેના પોતાના અનુભવો સાથે અહીંની જીવન શૈલી અને વિકાસ તથા આર્થિક પરિસ્થિત ઉપરાંત બહારના વિશ્વ સાથે આદિવાસી જાતિના સામાજિક સ્થાન વિશે વાત કરી. સવજીભાઈ પાટીવાલાએ પણ અધ્યક્ષીય વક્તવ્યમાં વંચિત એટલે શું? એમ પ્રશ્ન મૂકીને શિબિરાર્થીઓને આદિવાસી લોકો કઈ રીતે વંચિત છે તે શોધી લાવવા માટે અભ્યાસ સોંપ્યો.
આશ્રમશાળાના બાળકો અને કાર્યકરો તથા અહીંનું શિક્ષણ કાર્યની બાગડોર સંભાળતા રણજીતભાઈ બારડ અને જશોદા નરોત્તમ ટ્રસ્ટના શિક્ષણ સજ્જતા તજજ્ઞ દિગંતભાઈના સહકારથી આગામી દિવસોમાં વિસ્તારની સાંસ્કૃતિક કુદરતી સામાજિક અને કૃષિ વન પેદાશો પશુપાલન સ્થાનિક પ્રશ્નો આર્થિક પરિસ્થિતિ અંગેનો સર્વેક્ષણ કાર્યક્રમ આપણા AQACના હિતેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાશે. આસપાસના ખડકી અને ખોબા ગામોની મુલાકાતો, આનંદમેળો,સાંકૃતિક કાર્યક્રમ, લોક સંપર્ક અને ધરમપુરમાં આર્ચ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ , મિટીધાન, અતુલ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત જેવા વિધ વિધ કાર્યક્રમો યોજાશે.

શિબિર સંયોજક વિશાલભાઈ જોષી, ભાનુપ્રસાદ ટુંડીયા અને હિતેશભાઈ સોલંકી સમગ્ર શિબિર ના સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.લોકભારતીના મનોરથ મુજબ છેવાડાના માણસ સુધી પહોંચવાના આ શૈક્ષિણક કાર્યક્રમને લોકભારતીના ટ્રસ્ટી અરુણભાઈ દવે ધ્વારા માર્ગદર્શન અને પ્રેરણા , નિયામક હસમુખભાઈ દેવમુરારિ દ્વારા શુભેરછાઓ અને આચાર્ય હસમુખભાઈ સુથાર દ્વારા સહકાર સાંપડ્યો છે.