

સરદારસિંહજી રાણાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ કાળિયાબીડ વોર્ડની સરદારસિંહજી રાણા ઇલેવન રનર્સઅપ બની
હરેશ પરમાર, ભાવનગર
ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ‘શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટની છેલ્લા બોલ સુધીની રસાકસી ભરી ફાઇનલમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા બની હતી. ૧૦ એપ્રિલ ના રોજ વિશ્વમાં પ્રથમ વાર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર શ્રી સરદારસિંહજી રાણાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ યોજાએલ અઢાર ટીમો વચ્ચેના રોમાંચક જંગમાં કાળિયાબીડ વોર્ડની સરદારસિંહજી રાણા ઇલેવન રનર્સઅપ બની હતી. સમાપન પ્રસંગે જીતનાર ઇલેવન દ્વારા આતશબાજી કરાઈ હતી. ફાઇનલમાં બન્ને ટીમોને પ્રોત્સાહન આપવા માટે શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ, પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર ચેરમેન સહિતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, પૂર્વ સંગઠનના હોદ્દેદારો, દરેક વોર્ડનું સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતાં.