હરેશ જોષી, સાજણાસર
પાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. પરમાણંદભાઇ શાહ પરીવાર તરફથી છેલ્લા વીશેક વર્ષથી અસંખ્ય શાળા દત્તક લઇ વિવિધ સુવિધા સંપન્ન કરાવતા રહ્યા છે.
સાજણાસર પ્રા શાળામાં નિર્મળ જલધારાનું લોકાર્પણ
